________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા છે. ગૌહરનું ગાયન સાંભળી એકની મનોવૃત્તિ તલ્લીન થાય છે અને ક્ષણવાર પણ તે દિવ્ય સુખને આસ્વાદ લે છે, ત્યારે બીજાને તેવું કંઈ થતું નથી; તેથી બીજાએ પહેલાના અનુભવની અવગણ કરવાનું કારણ નથી. ગાયનમાં તલ્લીન થનારને અમુક તાન અમુક રીતે મારતાં અમુક રીતે હૃદયની નાડીઓ પર તેનો આઘાત થાય છે, તેથી તે તાન સર્વને આનંદદાયક થવો જોઈએ એમ યુક્તિવાદથી સિદ્ધ થઈ શકશે નહિ; પણ તેના અનુભવની સત્યતા તેને માટે તે નિર્વિવાદ છે જ અને એની વિરુદ્ધ આક્ષેપ કરવાનું કોઈને કોઈ કારણ નથી. એ જ ન્યાયે જેને ઈશ્વર પર શ્રદ્ધા છે અને જેને પુરાણ, બાયબલ, ઉપનિષદાદિ ગ્રંથ દ્વારા વિશિષ્ટ પ્રકારનું સાત્ત્વિક સમાધાન મળે છે, તે કદાચ પિતાની વૃત્તિનું યુતિવાદથી સમર્થન કરી શકે નહિ; તે પણ તે વૃત્તિને એકદમ ભોળપણની કે વ્યર્થ ઠરાવી નાખવી કદી પણ યુક્ત ગણાય નહિ.
એટલું ખરું છે કે ઉપર કહ્યા પ્રમાણે, કામેન્મત્ત પુરુરવાની દષ્ટિને લતામાં કે વાદળાંમાં દર્શન દેતી ઉર્વશીની પેઠે વિઝવર્થ જેવાને લતા કે વાદળામાં દેખાતે પ્રભુ ભ્રમમૂલક હોવાને સંભવ છે; પણ “ભ્રમમૂલક જ છે” એમ કહેવાનો અધિકાર અદ્યાપિ કોઈને પ્રાપ્ત થયેલું નથી. કારણ, તેમ જ કહીએ તે આપણું મન કે આત્માનું આપણને કેટલું જ્ઞાન મળેલું છે? અમેરિકાના માનસશાસ્ત્ર સંશોધકમંડળે (Psychical Research Society) પોતે મર્યાદિત કરેલા ક્ષેત્રમાં, અવિશ્રત શ્રમ લઈ ધ્યાનપૂર્વક, ચિકિત્સક અને શોધક બુદ્ધિથી, જે મહત્ત્વને પુરા એકત્ર કર્યો છે, તે જોતાં આત્મા નામની જે કંઈ અજબ વસ્તુ છે તેની શક્તિ અતિ વિલક્ષણ છે, તેને અનેક અંગ ઉ માંગ છે વગેરે વાતની સારી પ્રતીતિ થાય છે. દૂર સ્થળે થયેલા અકસ્માત કે મૃત્યુની સ્વપ્નમાં ખબર મળવી, કેટલાક માઈલ દૂર રહેલા લોકોને એકબીજાના મનના વિચાર કે વિકારની ખબર મળવી (Telepathy), માનસશક્તિથી વ્યાધિ દૂર કરવા, ભૂતનું દર્શન થવું, જીવતાં માણસનાં ભૂત ( Phantasms of the living ) દેખાવાં, ભૂતના જેવો આભાસ થા, વગેરે ચમત્કારિક વાતની હકીકત વાંચ્યા પછી તે વિષે કઈ ગમે તે શંકા કુશંકા કરે; પણ આત્માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org