SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ નીતિશાસ્ત્ર પ્રવેશ કંઈ થતો નથી અને વર્ઝવર્થનેયે હમેશ જ એવો અનુભવ થત એમ કંઈ નથી. વિક્રમોર્વશીય નાટકમાંના પુરુરવાને ભ્રમથી જ્યાં ત્યાં ઉર્વશીનું દર્શન થતું હતું તેમજ વર્ડઝવર્થ માટે હતું એમ કહેવું હોય તે કહે, પણ ભિન્ન પ્રકૃતિના લેકમાં તે જ દેખાવથી ભિન્ન વિકાર ઉત્પન્ન થાય છે એ વાત નિર્વિવાદ છે. કોઈને દરિયો લાગે છે, કોઈને લાગતું નથી; કોઈને રક્તાદિ જોતાં ચકરી આવે છે, કેઈને તેવું કંઈ થતું નથી; કેઈને નવલકથા, નાટક વગેરે સાહિત્ય પસંદ પડે છે, કેઈને તે નથી ગમતું; કઈને ટેનિસ, ક્રિકેટ વગેરે રમત રમવામાં નહિ તે જોવામાં મઝા પડે છે, કેઈને તે રમત વિશેષ ચતી નથી; કોઈને ચિત્રકળા કે ગાનકળાનો નાદ હોય છે, કોઈને તેમાં કંઈ સમજાતું નથી; તે જ પ્રમાણે કોઈનું મન સ્વભાવતઃ ભાવિક હોય છે અને કેઈનું નથી હતું. માણસનું મન એક જ ટંકશાળમાંથી નીકળતા રૂપિયા જેવું આબેહૂબ સરખું હોતું નથી. તત્ત્વતઃ સર્વને આત્મા એક છે એ અદૈત સિદ્ધાંત ખરો હોય તો પણ પ્રત્યેકને આત્મા સરખી જ રીતે વિકાસ પામેલ હોય છે એવું કંઈ નથી. લેખક ગાયનને મર્મ સમજી શકતા નથી તેથી કહી શકાય કે ગાયનરુરિય જે યોગે ઉત્પન્ન થાય છે તે અંગે તેનામાં સુપ્ત છે અથવા વિકસિત થયેલું નથી. એ જ પ્રમાણે ધાર્મિક શ્રદ્ધા, ધાર્મિક આત્મપ્રત્યય, ધાર્મિક પસંદગી, ધાર્મિક ઉત્સાહ, ધાર્મિક સ્કૂતિ વગેરે જે યોગે ઉત્પન્ન થાય છે તે અંગે કેટલાકમાં સુપ્ત અથવા અવિકસિત હોય છે એમ માનવાને શે વધે છે ? કેટલાક તાર્કિકોને લાગે છે કે, આપણી બુદ્ધિમાં જે પૂર્ણ રીતે આવી શકે નહિ તેમાં કંઈ અર્થ નથી. પણ આ વૃથાભિમાન And the blue sky, and in the mind of men: A motion and a spirit, that impels All thinking things, all objects of all thougbt, And rolls through all things. -Words worth ( Tintern Abbey.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy