________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા પણ એમ પણ કહેવાનો હરકત નથી કે, નીતિ જેમ જેમ વિકાસ પામતી જાય છે, તેમ તેમ ઈશ્વરના સ્વરૂપ સાથે સાધમ્ય પામતી જતી હોવાથી ધર્મશાસ્ત્ર એ નીતિશાસ્ત્રનું શિખર પણ છે.
ઉપર કહેલું કર્તવ્યાતીત, સંશયરહિત, નિર્ભય એવો ધર્મનિક માણસ હોય કે પછી સદાચારપ્રિય અને કર્તવ્યનિષ્ઠ, પણ સાશંકવૃત્તિને, સંસારસંત, ભવ-ભયભીત થયેલો માણસ હોય તોયે શું ? બન્ને અપવાદાત્મક કોટીના છે. સાધારણ માણસ વિશેષ ધર્મનિછ હોતા નથી અને કર્તવ્યનિષ્ટ પણ હોતે નથી, અને વાત એવી છે કે, તે અધર્મનિષ્ઠ કે અત્યંત દુરાચારી હોય છે એમ પણ હોતું નથી. સામાન્ય માણસની પ્રવૃત્તિ સુખ તરફ હોય છે, પણ સાધારણ રીતે નીતિદષ્ટિએ સારુંનરસું શું છે તે તે સમજે છે અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે છે. આમાંને કયો માણસ ધાર્મિકવૃત્તિને છે અને કયો નથી એની પરીક્ષા કરવી હોય તે ઉપર જણાવેલી કસેટીમાં તેને મૂકી શકાય છે. ધર્મદષ્ટિએ પૂર્ણતા પામેલે માણસ જેવો હોય છે તેવા પ્રકારની છટા મુખ્યત્વે કરીને જેનામાં જણાય તેને ધાર્મિકવૃત્તિનો સમજવો અને તેવી છટા જેનામાં ફિક્કી જણાય તે પણ ધમકવૃત્તિન સમજાવાને; પણ જે પ્રભુ, પરલોક, આત્માનું અમરત્વ વગેરે બાબતમાં વિશેષ સાશંક હોય છે અને જે એ દિવ્ય વાતની પંચાતમાં વિશેષ કરીને પડ્યા વગર સત્યભક્તિ, પરોપકાર, સ્વદેશાભિમાન દત્યા રે ગુણને જ આશ્રય લે છે તેને ધર્મવિહીન, પરંતુ કર્તવ્યનિષ્ટની કેટીને સમજ. સૂર્યાસ્ત સમયે જેમ અંતરિક્ષમાંના રંગ ચમત્કારિક રીતે એક બીજા સાથે મળેલા હોય છે અને અહીં ગુલાબી પૂરે છે અને તેનાથી પણ ફિક્કો ગુલાબી રંગ શરૂ થયો’ એવા પ્રકારનું પૃથક્કરણ કરવાનું કઠિન બને છે, તે જ પ્રમાણે પ્રત્યેક માણસના હૃદયાકાશમાં ધાર્મિકતાનું અને વિરુદ્ધ ભાવનાનું સ્વભાવમાં એવું મિશ્રણ થયેલું હોય છે કે અમુક માણસ આ કેરીનો અને તમુક તે કેટીને એમ નિશ્વયપૂર્વક કહેવાનું મુશ્કેલ બને છે. તથાપિ કઈ ભાવના પ્રધાનપદે છે તે જોઈ તથા સારાસારવિચાર કરી તેનો નિશ્ચય કરવાને સામાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org