SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા કર્તવ્યકમ કેટલાકને ભારરૂપ થાય છે, એ વિચાર પરથી ઉપરનું વિષયાન્તર થયું છે. માર્ટીનેનું પ્રમાણ ભૂલભર્યું હશે, પણ કર્તવ્યનિષ્ઠ માણસને શ્રદ્ધા, ઈશ્વર સાક્ષાત્કાર કે તવિષયક નિઃસંશય જ્ઞાનને ટેકે નહિ હોય તો, કર્તવ્ય તેને જેટલું આનંદદાયક હોવું જોઈએ તેટલું હોતું નથી. એ માટનેની વાત ખરી છે. એ ભાવાર્થ નથી કે, સતકર્મ કરવામાં શ્રદ્ધાહીન માણસને દુઃખ થાય છે. કેમકે સદાચરણને સાત્વિક આનંદ તેને ગમે તે વખતે થશે જ; પણ એ હૃદયસ્થ આનંદચંદ્રિકામાં કંઈક સંશયનાં કાળાં વાદળાં આમ તેમ વહે છે એ ધ્યાનમાં રાખવાનું છે. એ સંશય શી બાબતના હોય છે તેનું દિગ્દર્શન ઉપર થયું જ છે. બાફરને એક આસ્તિક્યસાધક યુક્તિવાદ ઈંગ્લાંડના માજી મુખ્ય પ્રધાન આર્થર જેમ્સ બાફર રાજકારણપટુ તે છે જ, પણ તે મહાન ચિકિત્સક અને તત્ત્વશોધક પણ છે. તેમણે Theism and Humanism નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ જે કોટીક્રમથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે, તે ઉપરના મુદ્દાને ભિન્ન દૃષ્ટિએ વિશેષ સ્પષ્ટ કરવાને સમર્થ હોવાથી તેનું અહીં દિગદર્શન કરીશું. બાલ્ફર કહે છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ તમારે ન માનવું હોય તો ભલે ન માને, પણ એટલું ધ્યાનમાં રાખે કે એમ કરવાથી તમે તમારી પિતાની જ્ઞાન, સૌંદર્ય અને નીતિવિષયક કંઈ કંઈ ઉચ્ચતમ ભાવનાનું મૂલ્ય ઘટાડી નાખે છે. જગતને કારણભૂત થનારી આદ્યશક્તિ સચ્ચિદાનંદાત્મક ન હોય – જડ, જ્ઞાનશૂન્ય, અરસિક અને નીતિકલ્પનાને અગોચર એવી હોય તે જ્ઞાન, સૌંદર્ય અને નીતિ નિરાધાર બનશે; નિદાન તેનું નિત્યત્વ, સર્વમાન્યત્વ અને શાંતિCategorical imperatives કહેલ છે. નૈતિક વિધિનિષેધ નિર્વિકલ્પ પાપી માણસને પણ મનમાં પૂજ્ય અને કેમે કરતાં પોતાનો કક્કો નહિ છોડનારાં લાગે છે; તેથી આપણે કરેલો પત્તાન કિલ્લે જેમ આપણે જ તોડી નાખીએ છીએ, તેમ આ વિધિનિષેધનું ખંડન કરવું પ્રશસ્ત નથી. કેમકે આ વિધિનિષેધ છે કે આપણું હૃદયમાં પ્રાદુર્ભત થાય છે તોપણ હૃદયમાં ઉદભવતા કામાત્મક કે લોભાત્મક વિચાર કરતાં તેનું માહામ્ય વિશેષ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy