________________
૪૬
નીતિશાસ્ત્રપ્રવેશ આને ઉત્તર આ પ્રમાણે (1) કેઈન માટે તેને જાતિબાંધવા બંધન ઉપસ્થિત કરવાને સમર્થ હોય છે. જે Due છે તે વ્યક્તિ અને તેને જાતિબાંધવ એ બેની વચ્ચે રહેલ છે એમ કહી શકાય તેમ છે, તેથી આ કામ માટે ઈશ્વરના નામનું ટહુ આગળ ચલાવવું જ જોઈએ એમ નથી. (૨) વળી, વ્યુત્પત્તિ પરથી એવા ગૂઢ તત્ત્વને નિર્ણય કર એ કદી પણ શ્રેયસ્કર નથી. વ્યુત્પત્તિ સૂચક છે, નિર્ણાયક નથી.
* માટીનાએ ઈશ્વરના અસ્તિત્વ વિષે જે આ શાબ્દિક પ્રમાણ આપ્યું છે તે કેવળ ફેંકી દેવા જેવું નથી એટલું માત્ર ધ્યાનમાં રાખવું જોઈએ. તેનામાં ગહન અર્થ રહેલો છે, પણ તે માટેના પુસ્તકમાં સ્પષ્ટ થયેલો નથી. Duty અથવા નીતિબંધન શબ્દ પરથી બે વ્યક્તિને બોધ થાય છે તેથી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવું પ્રાપ્ત થાય છે, એવા પ્રકારના શાબ્દિક સ્વરૂપમાં એ પ્રમાણે ગોઠવીએ તો તે કેવળ નિરર્થક છે. તેને વાસ્તવિક અર્થ એ છે કે, નીતિબંધનની ભાવના આપણામાં એટલી દઢ છે કે, ગમે તે કરતાં તે જતી નથી, માટે તે કૃત્રિમ નથી; તેનામાં કોઈ પણ તથ્થાંશ છે. મનુષ્યકૃતબંધન આપણે તોડી શકીએ છીએ; અને તોડી શકીએ નહિ તોપણ નીતિબંધન વિષે આપણે જે પૂજ્યભાવ હોય છે, તે કૃત્રિમબંધન માટે હેત નથી – નિદાન તેના જેટલો તો નથી જ હોતે. આપણે મોહના ભોગ બની પાપાચરણ કરીએ છીએ અને Duty અથવા કર્તવ્યનાં બંધન કેટલીક વખત તોડી નાખીએ છીએ; પણ કર્યું છે તે યોગ્ય નથી એમ એ સંબંધમાં જે લાગે છે, તે કેમે કરી મનમાંથી પૂર્ણ રીતે નીકળવું શક્ય નથી. જે નૈતિક વિધિનિષેધ હોય છે તેની માન્યતા આપણી ઇચ્છા પર અવલંબેલી હોતી નથી; પણ સ્વત:સિદ્ધ હોય છે. સ્ટેશન પર જાઓ, એ વિધ્યર્થક વચન જેને આગગાડીમાં જવાનું હશે તેને જ માન્ય થશે. અન્યને નહિ. પરંતુ ખરું બોલવું એ વિધિ કઈ પણ અમાન્ય ગણી શકશે નહિ. આપણે ખોટું બોલીએ છીએ તે ખોટું કર્યું એમ લાગ્યા સિવાય કદીયે રહેતું નથી. ખુરશી પર બેસે, મુંબઈ જાઓ, વ્યાપાર કરે વગેરે વિધ્યથી” વચને તેવી ઇચ્છા ધરાવનારને જ પાળવાનાં છે. અન્યને તેનું બંધન હેતું નથી. દાખલા તરીકે, વ્યાપાર કરો એ વચન જેને પૈસા મેળવવા છે તેને જ લાગુ પડે છે. એવાં વચનને કેન્ટ નામના તત્ત્વવેત્તાએ Hypothetical imperatives એટલે વૈકલ્પિક, અથવા ચર્થકવિધાને કહેલ છે. નૈતિક વિધાનોમાં વિકલ્પને લેશમાત્ર સ્થાન નથી – તે પ્રત્યેકે પાળવાં જ જોઈએ એવું હોય છે. એવાં વિધાનોને કેન્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org