________________
૪૪
નીતિશાસ્ત્રપ્રવેશ પણ જે તેને શ્રદ્ધા કે પૂર્ણ જ્ઞાનને આધાર નહિ હોય તો સાયનિક માણસના હૃદયમાં ઈશ્વર તે શું, પણ ઈશ્વરના અસ્તિત્વ વિષેનેયે સંશય નજરે પડશે. જે માણસોની ધાર્મિક વૃત્તિ પ્રગર્ભ હોય છે તેમને ઈશ્વરના અસ્તિત્વ વિષે સંશય રહેતું જ નથી. ધર્મનિટ માણસની મિરાતે દૃષિ ચિત્તે સંસંચા: એવી સ્થિતિ થયેલી હોય છે. તે બહુધા આ ઉચ્ચ ભૂમિકા પર એકદમ આવતું નથી: ધીમે ધીમે તેનો અધિકાર વધતે ગયેલ હોય છે. કહેવાને અર્થ એટલો જ છે કે, ઉચ્ચતમ અવસ્થામાં તેનું મન નિર્ભય, સંશયરહિત અને આનંદ પરિપૂર્ણ હોય છે. સ્વભાવતઃ જ જેની ઈશ્વર પર ઓછીવત્તી શ્રદ્ધા હોય છે તેની વાત છેડી દઈએ તે મોટા ભાગના માણસે કબૂલ કરશે કે, ઈશ્વરનું અસ્તિત્વ સત્ય નથી અને મિથ્યા નથી; પણ અસિદ્ધ અથવા ચાકૂ ને ચાટ્ટા કોટીનું છે. અહીં “ઇશ્વર છે' એવું કહેનાર પક્ષના યુક્તિવાદનો ઊહાપોહ કરવાનું સ્થળ નથી; તથાપિ તે સર્વ વિષે એટલું કહી શકાશે કે, પ્રત્યેકમાં કંઈ ને કંઈ દે તે છે જ. ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ થઈ શકશે નહિ. ખરી સ્થિતિ એવી છે કે, ઈશ્વર હોવા જોઈએ એમ આપણને લાગે છે અને તેથી ઈશ્વર છે એવું સિદ્ધ કરી બતાવનાર સદોષ યુક્તિવાદ પણ ઘણું જ માણસને રચે છે. આપણે જેને નીતિનિષ્ઠ અથવા કર્તવ્યનિષ્ટ કહીએ છીએ, તેને ઈશ્વર છે જોઈએ એમ લાગે છે; પણ તર્કથી તે એ વાત સિદ્ધ કરી આપી શકતા નથી તેથી તે એ સંબંધમાં કોઈ પણ પ્રકારને આગ્રહ પકડો નથી. તે કર્તવ્યકર્મ કરવાનું ચૂકશે નહિ, પણ તેને કર્તવ્ય એક પ્રકારનો બોજો લાગશે. સાવકા પુત્રને સંભાળનારી સુશીલ સ્ત્રીની માફક તે સર્વ કંઈ યથાસ્થિત કરશે, પણ પોતાના પુત્રને નવડાવતાં ખવડાવતાં માતાને જે આનંદ થાય છે તે તેને નહિ થાય.
માણસને કેટલીક વાતે પ્રિય હોય છે અને કેટલીક વાતો પ્રિય નહિ હોવા છતાં તે શ્રેયસ્કર છે એમ લાગે છે. શ્રેય અને પ્રેયમાં કલહ ઉત્પન્ન થતાં કર્તવ્યતત્પર માણસ શ્રેય તરફ વળે છે, પણ જરા વાંકું મોટું કરીને તથા ચાલતાં ચાલતાં મુખ પાછું ફેરવી પ્રેય તરફ આકાંક્ષાયુક્ત નજરથી વચ્ચે વચ્ચે જેતે રહી છેવટે શ્રેય તરફ જાય છે. ધર્મનિષ્ઠ માણસને કર્તવ્ય ભારરૂપ લાગતું નથી. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org