SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા જ સ્વીકારી લીધું છે. જે તે પિતાના પડિયામાં જ ઘી લેવાને ઇચ્છે છે. કારખાનાંવાળાઓને દ્રવ્યલાભ આગળ કંઈ સૂઝતું જ નથી. મજૂરોના શા હાલ થાય છે તે તરફ તે વિશેષ લક્ષ જ આપતા નથી. સુશિક્ષિત અને દેશાભિમાની કહેવડાવનાર કારખાનદારનું પણ એ બાબતનું વર્તન વિશેષ ભૂષણાવહ હતું નથી. ડાહ્યા અને વિદ્વાન ગણાતા લેકેનું પણ બહુધા ની નીવર્ચ Mવનમ્ ના ધોરણે જ વર્તન હોય છે. કહેવામાં આવ્યું છે કે જોદ્ધા મરત્ત: એ કંઈ વ્યર્થ બડબડાટ નથી. જેવી અવસ્થા વ્યક્તિની તેવી જ રાષ્ટ્રની. એક રાષ્ટ્ર બીજા પર સવાર થાય અને બીજું ત્રીજા પર ! એમ કરી, જે તે અન્યની સંપત્તિ પર પિતાની સત્તા જમાવવા ઇચ્છે છે. પરાજિત પ્રજાની શી અવસ્થા છે, તેને વારંવાર લાયમાન કરી અધોમુખ બનાવવાથી તે ભગ્નતેજ બનવાની સાથે માન, વીર્ય, ઔદાર્ય વગેરે અમૂલ્ય ગુણે પણ ધીમે ધીમે પિતામાંથી કેવી રીતે ખોઈ બેસે છે તેને આભૌપમ્ય–બુદ્ધિથી સૂક્ષ્મ વિચાર કરનાર રાષ્ટ્ર કેટલો છે ? જિતાયેલાં રાષ્ટ્રમાં “પિતે ઊતરતી પંક્તિનાં છે” એ સમજ, (હાલના માનસશાસ્ત્રની દૃષ્ટિએ કહીએ તે એ ગ્રંથિ (Inferiority complex), ઉત્પન્ન થયેલી હોવાથી લેકેનું કેટલું નુકસાન થાય છે એને જીતનાર રાષ્ટ્રમાંના કોઈ એ વિચાર કર્યો છે કે? નહિ. જે તે રાષ્ટ્ર પોતાને જ વિચાર કરે છે – અન્યનું ગમે તે થાઓ, અમારું સારું થાય એટલે બસ, એવા પ્રકારનું રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની નીતિનું સામાન્ય સ્વરૂપ છે. આવી દષ્ટિએ વિચાર કરવા લાગ્યા પછી કર્તવ્યનિષ્ઠ માણસની કર્તવ્યનિષ્ઠાનો પાયો ડેલી ઊઠે છે. તે કર્તવ્યસ્યુત થશે નહિ, કારણું કર્તવ્યને કર્તવ્ય તરીકે માનીને તે કરે છે, સ્વાર્થ કે ફલની અપેક્ષાથી નહિ; તેને કર્તવ્ય પૂજ્ય હોય છે; પણ કાઈક વખત તેને લાગે જ છે કે, ન્યાય, દયા, પરોપકાર, દેશાભિમાન વગેરે વાત આપણે પકડી રહ્યા છીએ તે ગાંડપણ તે નથી ને? જગતને સર્વ વ્યવહાર ઊલટી દિશામાં વહેતે જોઈ ધર્મનિટનો આધાર નહિ ધરાવનાર માણસની કર્તવ્યપ્રીતિ કિંચિત બલાહીન બને તે નવાઈ જેવું નથી. આપણે બધા “પ્રભુ પ્રભુ બેલીએ છીએ; પહેલી ચોપડી ભણનાર બાળકને પણ તે કયાં છે, શું કરે છે વગેરે શીખવવામાં આવે છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy