________________
ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા
૩૩
નીતિની નજરે વંદ્ય ગણાતા કેટલાક નાસ્તિક હાય છે, ધણા સંશયવાદી કે સ્યાદ્વાદી (Agnostic) હેાય છે. દાંભિકની વાત જુદી છે, પણ સારા ધાર્મિ`ક માણસ નીતિમાન હોવા જ જોઈએ એ જેમ નિયમ છે, તેમ કર્તવ્યનિષ્ટ માણસ હમેશ ધાર્મિક વૃત્તિને ાય છે એવા નિયમ થઈ શકે તેમ નથી. કેટલાક સદાચારસંપન્ન માણસને સંશયની અંધકારમય ગુફામાં બેસી રહી તવિતર્કના સુક્ષ્મ પણ મભેદક ધા ચૂપકીથી સહન કરવા પડે છે. ઉપરની વૈવાહિક ઉપમા કાયમ રાખી કહીશું કે, નીતિમત્તાને કેટલીક વખત સહધર્મચારિણીનું સુખ મળતું નથી – તેને પ્રઢ થવા છતાં કૌમારિક સાત્ત્વિકતા પર જ સંતુષ્ટ થવું પડે છે, કારણ ધર્મની અને તેની નજરેાનજર થતી નથી અને થાય છે તે તે અતિ અલ્પકાલીન હોય છે. નીતિમત્તાનું ધમે પાણીગ્રહણ કર્યુ નથી હતું તેટલાથી તે ચ્યુત કે નષ્ટ થતી નથી એ જે ક ખરું હોય, તો પણ સહધ ચારિણીપદનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થવામાં જે સૌદ મળે, તેમજ જે નિયત્વ, .જે આનંદ, જે તેજ, જે અવ્યંગ આત્મતૃષ્ટિ પ્રાપ્ત થાય, તે ધસાહચર્યંના અભાવે એકાકિની, હતાગિની નીતિમંત્તાને મળતાં નથી, એટલું ખૂલ કરવું પડશે.
આ લાક્ષણિક ભાષાની ધૂનમાં મુખ્ય મુદ્દો ભૂલી જવા ન જોઈ એ. આપણે અત્યાર સુધી નીતિ અને ધર્મ વિષે વિચાર કર્યાં, તથાપિ કયા અર્થાંમાં આપણે એ શબ્દ વાપર્યો છે તેના સ્પષ્ટ ખુલાસા હજી થયેલે! નથી. આપણે એ વાતના કાયદાની દૃષ્ટિએ વિચાર કરવાના નથી એટલું ઠરાવી લીધું છે. તે સિવાય ખીજું એ ઠરાવ્યું કે, જપજાપ, સ્નાનસંધ્યા વગેરે ખાદ્ય ધર્મલક્ષણથી જ સંતુષ્ટ થવાનું નથી. સ્નાનસ ંધ્યા કરનાર ધર્મપરાયણ હાય છે જ એવું કંઈ હાતું નથી અને કાઈ નાનસંખ્યા કરતો ન હેાય તે તેની વૃત્તિ ધ`પરાયણ નથી એમ માનવાની પણ જરૂર નથી. વ્યાવહારિક ભાષાની દૃષ્ટિએ તેને ધાર્મિક કે ધમ પરાયણ કહેવું ભૂલભયુ" ગણાશે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ ધાર્મિક વૃત્તિને જપાપ વગેરે આવશ્યક છે એવું કંઈ નથી. ત્રીજો મુદ્દો એ નીકળે છે કે, નીતિશાળી માણસ જે ધર્મ વિષે ઉદાસીન
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org