________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા ધર્મે કેટલાક વિશિષ્ટ સંસ્કાર કરાવેલા છે, તેટલા કરી લેવામાં આવે છે, તો પછી કાયદે તે માણસની નીતિમત્તા તરફ જેતે નથી. આ સંસ્કારની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. હિંદુધર્મના કેટલા માણસોએ શાશ્વે કહેલા સોળ સંસ્કાર અનુભવ લીધે હશે? હિંદુ માતા પિતાના પેટે જન્મ પામી ઉપવીત અને લગ્ન સંસ્કાર હિંદુ પદ્ધતિને અનુસરી થયા પછી, ભલે તે વેશ્યાગમન કરે, મનુએ કહેલાં બ્રહ્મહત્યા, સુરાપાન વગેરે મહાપાતકમાંનાં મહાપાતક ચોરીચૂપકીથી કરે, પણ કાયદામાં રહેલા હિંદુધર્મ કંઈ તેના હિંદુત્વની આડે આવતું નથી.
નીતિરૂપ ધર્મપત્ની વિષે કાયદાને ધર્મ જોકે આવી રીતે બેપરવા હોય, એટલું જ નહિ પણ તેની સાથે જે તે છૂટાછેડા પણ કરે તેય કાયદાને વિશેષ દેવ આપવાનું પ્રયોજન નથી. કારણ, કાયદાનું ક્ષેત્ર અને કાયદાનું કાર્ય, તેની તાવિક સ યતા કરતાં વ્યાવહારિક સવડ સાથે જ નિકટ સંબંધ ધરાવે છે. ધર્મનાં તવ ગમે તે હો, કાયદાને તેની સાથે ખાસ કર્તવ્ય નથી. તે ફકત બહારની ચાર પાંચ બાબતમાં આગ્રહ રાખે છે અને બાકીની નીતિઅનીતિની બાબતોમાં ઉદાસીન રહે છે. અને વ્યાવહારિક દૃષ્ટિએ એ સુગમ અને યોગ્ય છે એમાં કંઈ શંકા નથી. માત્ર માનસશાસ્ત્રની દૃષ્ટિ ધર્મનીતિની બાબતમાં એવી ઉદાસીનતા સ્વીકારી શકે એમ નથી. ધાર્મિક માણસ નીતિનિષ્ટ હોય તે જ તે ખરે ધાર્મિક – અનીતિમાન મનુષ્યને તત્ત્વદષ્ટિએ કદી પણ ધર્મપરાયણ કહી શકાશે નહિ. નીતિ એ ધર્મની ધર્મપત્ની છે. ઉભયનો નિકટ સંબંધ છે એટલું જ નહિ પણ અતિ ઐક્ય છે. માત્ર પૂર્ણ તાદામ્ય નથી. ધર્મ અનીતિ સાથે સંબંધ રાખી શકતા નથી, તેનાથી એ તરફ નજર પણ થાય તેમ નથી. સ્નાન સંધ્યા, ટીલા ટપકાં કરનારા કેટલાક ઢોંગી ધાર્મિક માણસ અનીતિમાં લીન થશે. આપણે હમણાં દાંભિક ધર્મ કે દાંભિક નીતિનો વિચાર કરતા નથી; પણ ખરી ધર્મપરાયણતા અને ખરી નીતિનિષ્ઠાનો વિચાર કરીએ છીએ. ધર્મ નીતિને ત્યાગ કરી શકશે નહિ તેમ જ અનીતિ તરફ સાકાંક્ષ દૃષ્ટિથી જોઈ પણ શકે નહિ એમ આપણે કહ્યું છે તે, ખરા, સાવિક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org