SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા વાત ભિન્ન છે એમ સ્વીકારી ક્રમણ કર્યું છે. આપણે આ સ્વીકારી લીધેલું કૃત્ય બહારથી જેટલું સાદું દેખાય છે તેટલું સાદું નથી. તેના ઉદરમાં કેટલાયે કઠિન પ્રશ્ન છુપાઈ રહેલા છે. દાખલા તરીકે, ધર્મ, ધર્મ' બોલીને આપણે જે કહીએ છીએ, તેમાં અને નીતિમાં અક્ષર સિવાય ખરેખર શું ફરક છે? ધારોકે એક માણસ નતિની દષ્ટિએ કેવળ નિર્દોષ છે. હવે તે ધર્મ સંબંધે ઉદાસીન હોય તો પણ તેના આત્મવિકાસનમાં કઈ ખામી રહે છે? ધર્મશૂન્યત્વ એટલું જ કહેવાથી ચાલી શકશે નહિ. ધર્મશયત્વ એટલે શું? માને છે, તે માણસ વ્યવહારમાં તદ્દન સરળ અને પ્રમાણિક છે, વડીલની કદી અવજ્ઞા કરતો નથી, ચોરીચાડી કરતા નથી, ગરીબગુરબાંને વસ્ત્રદાન, અન્નદાન, દ્રવ્યદાન, વગેરે દ્વારા કિંવા અન્ય રીતે ઉત્તમ પ્રકારે સહાય કરે છે, દેશાભિમાની છે, દેશ માટે હરેક પ્રકારને સ્વાર્થ ત્યાગ – પ્રાણત્યાગ પણ કરવા તત્પર છે; એવા મનુષ્યની વૃત્તિ ધર્મ વિશે ઉદારતા હોય તો તેના કર્મમાં અને ધાર્મિક વૃત્તિના માણસના કર્મમાં કેવા પ્રકારનો તફાવત નજરે પડશે? ધાર્મિક માણસનું વર્તન તેનાથી કઈ બાબતમાં ભિન્ન હશે? ધાર્મિક માણસ નાનસંધ્યા, જપ, હવ્યકવ્ય, લધુરૂદ– મહારુદ્ર, શ્રાવણી, તીર્થાટન, ઉપવાસ વગેરેમાં વિરોધ શ્રદ્ધા દર્શાવે છે અને ધર્મ પ્રત્યે ઉદાસીન રહેનાર નીતિમાન માણસમાં એવી જતની આસ્થા હતી નથી, એવો ભેદ જે કાઈ કરશે, તે તેને કહીશું કે, કબૂલ, એ સર્વ ખરું છે, પણ તેની વૃત્તિમાં એથી પણ વિશેષ મહત્ત્વનો એવો કોઈ ભેદ નથી ? ઉપર ઉપરથી જેનાર સ્નાનસૂબાદ બાહ્ય વાત પરથી જ ધાર્મિક વૃત્તિની પરીક્ષા કરે છે, અને તેમાં કંઈ ખોટું નથી; પણ આપણે જરાક ઉડેથી જોવાનું છે. નીનિદષ્ટિએ વંદ્ય જણાતા માણસની વૃત્તિ ધર્મ પર ન હોવી એ એક ન્યૂનતા છે, એ આ લેખકને મત છે. તમે મેટા દયાળુ, ઉદાર, પરોપકારી, દેશભક્ત, સ્વાર્થ ત્યાગી, કર્મયોગી હશે, પણ તમારી વૃત્તિ જે ધર્મપરાયણ નહિ હોય તો જે કે હું દોષ આપીશ નહિ, પણ તમને દુર્ભાગી સમછરા. એ ધર્મપરાયણતા શી વસ્તુ છે? સ્નાને ધ્યાદિ ધર્મપરાયણતાનાં ચિહ્ન હશે પણ તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy