________________
૫૫૪
નીતિશાસ્ત્રપ્રવેશ છે, ગોમાજી બીન સોમાજીનો જન્મ કઈ તારીખ થે, સામેના વૃક્ષ પર કેટલાં પાન હશે વગેરે ચેતન કે ઉત્સાહ ન આપનાર, વર્તનક્રમ કે ભાવના ઉપર જેની લેશમાત્ર અસર થતી નથી તેવા ક્ષુલ્લક, ઠંડા પહેરના નીરસ, નિર્જીવ પ્રશ્નો ન છૂટે તે તેથી કોઈનું કંઈ અટકી પડતું નથી. પરંતુ અન્ય પ્રશ્નોની વાત તેવી નથી. એ પ્રશ્ન ભલેને ક્ષણભરના હોય; પણ તે છૂટવા જ જોઈએ; તેમ ન થાય તે ગીતાએ કહ્યા પ્રમાણે સંશયાત્માનો વિનાશ જ થાય. મોટા મોટા પ્રશ્નો વિષે આપણે કંઈ નિશ્ચય થયેલ નથી હોત. અને આપણો વિનાશ થતો નથી એ ખરું છે; પણ એનો ખરો અર્થ એ છે કે, આ પ્રશ્નોના ઉત્તર અનિશ્ચિત રહે તેની હરકત નથી; આપણે આપણું અમુક તત્ત્વ ખરું માનીને ચાલીશું; એ પ્રશ્નોના ઉત્તર માટે અટકી બેસવાને કારણ નથી; એ આપણે નિશ્ચય કરેલો હોય છે. અર્થાત એ પ્રશ્નો આપણને તેટલા મહત્વના કે જીવપ્રાણસમ લાગતા નથી; કિવા તેના જરૂર પૂરતા તથા વ્યવહારિક ઉત્તર આપણે આપણું મન સાથે ઠરાવેલા હોય છે. એકંદરે જગત તથા મહત્વના પ્રશ્ન વિષે માણસમાત્રની કંઈ ને કંઈ નિશ્ચિત વૃત્તિ હોય છે જ. એ નિશ્ચિત વૃત્તિ જો કે પાંડિત્યપૂર્ણ શબ્દથી વ્યક્ત થઈ શકતી નહિ હોય; પણ વર્તન, ભાવના અને એકંદર મનઃસ્થિતિની ભાષામાં તે યથોચિત વ્યક્ત થયા સિવાય રહેતી નથી. આ વૃત્તિને નિશ્ચિત ' કહી છે તેટલા પરથી કેઈએ એમ ન સમજવું કે તે જિંદગીભર જેવી ને તેવી કાયમ કે સ્થિર રહે છે. નિત્ય હોય તે નિશ્ચિત એ કંઈ નિયમ ‘નથી. કેટલાક નિશ્ચય સમય પૂરતા એટલું જ નહિ પણ ક્ષણિક હોય છે. નિશ્ચિતત્વ કાળમાન પરથી ઠરતું નથી. તેના યોગથી વતનને વિશિષ્ટ વહન, આકાર, દિશા કે બળ મળે છે તેથી તે સમય પૂરતું તેને નિશ્ચયત્વ પ્રાપ્ત થાય છે. ભાવનાને ચેતન આપવાનું અને વર્તનક્રમને માર્ગ કરી આપવાનું સામર્થ્ય જેમાં હોય તે વૃત્તિ નિશ્ચિત. અને જેમાં આ કરું તે કરું એમ અમુક જ કરવાનું નક્કી થયેલું નથી હોતું, જે વૃત્તિને રાગદેવાદિ કોઈ પણ ભાવનાનો રંગ લાગેલો નથી હોતા, જે મૂગી, લૂલી, પાંગળી હોય છે, તે વૃત્તિ સંશયાત્મક, પ્રથમ દર્શને જે સંશયાત્મત્વ ભાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org