________________
ધર્મ અને નીતિ
૫૫૧ પૂર્વક હાથ જોડતા જણાય છે; પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કેટલીક વખત એ નમ્રતા ઉપરછલ્લી અને “દુર્જન પ્રથમ વન્ટે” ન્યાયની હોય છે. અર્થાત ઉપરના પ્રશ્ર કામ વગરના અને નિરર્થક છે, ઈશ્વર વગેરે સર્વ જૂઠું છે, એહિક અનુભવ, અભ્યદય, માનાપમાન, સુખદુઃખ વગેરે ધ્યાનમાં રાખી વર્તવું, એવા પ્રકારનું તેમના ખરા હૃદયનું તત્વજ્ઞાન હોય છે; અને લોકોમાં પિતાનાં માન આબરૂ જળવાઈ રહે તે માટે મુખથી માત્ર તે “ધર્મ અતિગહન વસ્તુ છે, ઇશ્વરના ગુણ અતર્યા અને અનિર્વચનીય છે” વગેરે વાત કરે છે. કેટલાકને ખરેખર જ ધર્મમાં ગહનતા તથા અનિર્વચનીયતા ભાસે છે; પરંતુ આધ્યાત્મિક તથા તાત્ત્વિક પ્રશ્ન આગળ જોડાયેલા હાથ ઘણી વખત આસ્તિકતા, સદાચારપ્રિયતા, પરલેક પર વિશ્વાસ વગેરે વસ્તુનું દર્શન કરાવે છે. તેમનું વર્તન જોઈએ છે તો તેમનું અયત્વ ઘણું અંશે બોલવા પૂરતું જ છે એમ કહેવાની ફરજ પડે છે. કેટલાકના વર્તન તરફ જોઈએ છે તે કહેવું પડે છે કે, તેમનું તત્ત્વજ્ઞાન કદી આ પક્ષ તરફ ઝૂકે છે તે કદી તે પક્ષ તરફ મૂકે છે. એટલું તે સ્પષ્ટ છે કે, માણસ ગમે તે કેટીને હશે પણ તેનું પિતાનું એવું કંઈ ને કંઈ તત્ત્વજ્ઞાન હોય છે જ. પછી ભલે તે ગમે તે પ્રકારનું હોય. તત્ત્વજ્ઞાન વિનાનું વર્તન જ શકય નથી. વર્તન એટલે તત્ત્વવિચારને મળેલું વ્યક્તિ સ્વરૂપ. ઘટ-પટાદિક તથા અવછેદ-અવચ્છિન્નના આડંબરને જ તત્ત્વજ્ઞાન કહેવું હોય, તે તે જુદી વાત છે. કર્તવ્ય વિષે, સમાજ વ્યવસ્થા વિષે કિવા સૃષ્ટિની ઘટના વિષેની જે કલ્પના હૃદયના ઊંડા પ્રદેશમાં સંગ્રહ પામેલી હોય છે, જેની પ્રેરણાથી જ જીવનક્રમ ચાલતો હોય છે અને જે પાંડિત્યપૂર્ણ શબ્દથી વર્ણન પામી સુલિષ્ટ વાકયોથી વિભૂષિત બનેલાં ઊંચા પ્રકારનાં વસ્ત્રો પહેરાવી લોકમાં રેફ મરાવતી નથી; તથાપિ જે માણસને આંગળીના ટેરવા પર નચાવે છે (ભલેને હદયના અંતઃપુરમાં બેસી રહીને તે એ કામ કરતી હોય) તે જ જીવંત અને શક્તિસંપન્ન કલ્પનાને સૂક્ષ્મદર્શી લોકોના “અમર” અથવા “શાશ્વત” કોશમાં તત્ત્વજ્ઞાનનું નામ મળેલું છે એમ મને નિશ્ચિતપણે લાગે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org