________________
ધર્મ અને નીતિ
૫૪૯
દેખાવા લાગે છે! કાઈ પણ પ્રકારના આ — દુઃખનું નિવારણ મર્યાદિત બુદ્ધિ તથા શક્તિની પરિસીમામાં આવી શકતું નથી ત્યારે અમર્યાદ બુદ્ધિ તથા શક્તિવાળા શ્વરનું ધ્યાન ધરતાં તે દુ:ખ આ જન્મે હિતેા ભાવી જન્મમાં નષ્ટ થવાનું આશ્વાસન મળે છે જ! ઈશ્વર પરની શ્રદ્ધા એટલે સસારનાં હરેક પ્રકારનાં દુઃખાથી હારેલા, ગભરાઈ ગયેલા કિવા ભયભીત બનેલાને દુઃખાનું વિસ્મરણ થાય તે સારુ આધ્યાત્મિક ગુરુ પાસેથી મળેલું એક ઔષધ ! આપણે કહીએ છીએ કે, શ્વિર આપણને સારીનરસી બુદ્ધિ આપે છે; પણ વાસ્તવિક રીતે ઇશ્વર આપણને સારીનરસી બુદ્ધિ આપે છે એવું કંઇ નથી. ઊલટું આપણે આપણી સારીનરસી બુદ્ધિ અનુસાર શ્વિર બનાવી લઈ એ છીએ. ઈશ્વર આપણા જનક નથી પણ ઊલટું, તે જ આપણા માનસપુત્ર છે! ‘ પુત્ર થાએ તેા એવા થાએ કે જેને ત્રિશ્લેકમાં ઝડા ક્રકે’ એ સાધુવચનને અનુસરતું જ એ માનસપુત્રનું કારણ કે, કેવળ તેના નામેાચ્ચારથી સવ ફૂટ પ્રશ્નને
ચરત્ર છે. ઉકેલ આવી
-
જાય છે, સ આ — દુઃખથી મુક્ત થવાય છે અને સ હૃદયશૂળ આપેઆપ દૂર થાય છે!
એક વિનંતિ એ છે કે, કેાઈ એ એમ ન સમજવું કે દેવ કિંવા ધર્મની ચેષ્ટા કરવાના હેતુથી ઉક્ત વિધાન કર્યાં છે. ચેષ્ટાને ઉદ્દેશ શક્ય જ નથી. કારણ કે હું ઈશ્વરવાદી છું અને હું મારા પેાતાને માટે જે વિચારપદ્ધતિથી ઇશ્વરનું અસ્તિત્વ માનું છે, તે પતિ અને ઉપરની પતિતત્ત્વતઃ અભિન્ન છે. અહીં એટલું માત્ર કહેવું જોઈએ કે, હું ‘ઇશ્વર' શબ્દને! મારા મન સાથે જે અર્થ કરું છું તે સર્વાંતે સંમત થશે એવું કંઈ નથી. એ વાત સુપ્રસિદ્ધ જ છે કે, ઈશ્વરના અવતાર અને સ્વરૂપ
અનેક છે.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
આ ભગવદ્ વચનમાં ઇશ્વરનાં અનેક સ્વરૂપ છે અને તેની ભક્તિના અનેક પ્રકાર છે એ વાત પ્રથમથી સ્વીકારી લીધેલી છે. જેવી જેની શ્રદ્મા તેવા તે અને તેના પ્રભુ ! જેણે તેણે પોતપોતાના પ્રભુની મને ભાવથી ભક્તિ કરવી એ જ એકદરે શ્રેયસ્કર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org