________________
પર
નીતશાસ્ત્ર પ્રવેશ “ધિ સાચમત પ્રમુમવાનામૃતવાતરમ' કહી સારુંનરસું, સુરૂપકુરૂપ, નાનુંમોટું વગેરે પ્રકારને વિવેક ન રાખનાર “સામાન્ય તત્ત્વોને ધિક્કારવું તે સમજાતું નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, ગુલાબ, ધર્મ કે કેઈનું પણ ખરું સ્વરૂપ એટલે પૂર્ણ વિકસિત, ઉચ્ચતમ સ્વરૂપ. ગુલાબ પૂર્ણાવસ્થા અને સર્વાગે સુંદરત્વ પ્રાપ્ત કરી કંઈ ન્યૂનતા કે વ્યંગ– રહિત બને અને તેનું પિતાનું જે કાર્ય છે તે સરસ રીતે પાર પાડી શકે, તો એવી સ્થિતિમાં તેનું જ સ્વરૂપ દષ્ટિએ પડે, તેને જ તેનું ખરું સ્વરૂપ સમજવું. આ પૂર્ણ અને સર્વાંગસુંદર સ્વરૂપ પ્રથમના કે હાલના કઈ પણ ગુલાબમાં નહિ મળી આવે તે ચાલશે. એ સ્વરૂપ ન હોય તેથી તે ગુલાબનું ફૂલ જ નથી એવું કંઈ કરી શકતું નથી. એ પ્રસંગે ગુલાબ અપૂર્ણ, અવિકસિત કિંવા વિકૃત સ્વરૂપવાળું છે એમ જ માનવું જોઈએ. ધર્મની વાત પણ એવી જ છે. ધર્મનું ખરું સ્વરૂપ જવાની ઇચ્છા ધરાવનારે ધર્મના અવ્યંગ, પૂર્ણ વિકસિત, ઉચ્ચતમ, સતસંમત અને અસામાન્ય અરૂપનું ભક્તિપૂર્વક એકાગ્રતાથી ધ્યાન ધરવું જોઈએ. જંગલી લેકના રીતરિવાજની ભારોભાર માહિતીથી ભરેલાં પુસ્તકોનું પારાયણ કરી સર્વ ધર્મનું “સામાન્ય તત્ત્વ મેળવવાના માર્ગે ચઢી અસામાન્ય દષ્ટિને જ પ્રાપ્ત થનાર સતવ મેળવવાની આશા રાખવામાં અર્થ નથી. પ્રત્યેક ધર્મનું તલપૂર સતતત્વ સ્વીકારીને પણ સર્વ ધાર્મિકતાની તિલોત્તમાં નિર્માણ કરી શકાય. અન્ય ધર્મમાં મળી આવતું નથી એમ કહીને સર્વ સતત્ત્વને ફેંકી દેવાની પદ્ધતિથી “સામાન્ય યોગ્યતાની મૂર્તિ નિર્માણ કરવાનું કાર્ય સ્પેન્સર જેવાને માટે પણ કઠિન છે.
માનવજાતિશાસ્ત્રોના મતના સમાચાર લેવાનું છોડી દઈ હવે ધર્મમૂલ વિષયક અન્ય ઉપપત્તિ જોઈશું. ખ્રિસ્તી, બૌદ્ધ અને મહંમદી ધર્મ પ્રોટેસ્ટંટીઝમ, કકરીઝમ અને બેસ્લેઅને પંથ; તેમજ આપણે ત્યાંના આધુનિક બ્રાહ્મ, આર્ય અને પ્રાર્થના સમાજ તરફ જઇશું તે સ્વાભાવિક રીતે લાગશે કે, ચોતરફની પરિસ્થિતિને અધોગતિ પામેલી જોઈને ખ્રિસ્ત, બુદ્ધ, મહંમદ, ભૂથર, જે ફેકસ, વેસ્લે, રાજા રામમોહનરાય, સ્વામી દયાનંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org