________________
ધર્મ અને જાતિ
૫૪૧ બનાવવાની તેની શક્તિ ઉપરનાં કારણોથી લેશ પણ કમી થશે એમ માનવાને કંઈ જ કારણ નથી.
જે પ્રમાણે ધર્મનું સાચું સ્વરૂપ તેના મૂળ પરથી પૂર્ણપણે જાણવામાં આવતું નથી તે જ પ્રમાણે સર્વધર્મનાં સામાન્ય તો કયાં છે તે જોવા માત્રથી તેનું સ્વરૂપ જાણવામાં આવે એ શક્ય નથી. સ્પેન્સરને લાગ્યું કે, ભીલ, એસ્કીમે વગેરે પ્રથમ અવસ્થાની સર્વ જંગલી જાતિઓની ધાર્મિક સમજ અને સુધારામાં પ્રગતિ પામેલા અન્ય લોકોની ધાર્મિક સમાજને સંગ્રહ કરી તે સર્વેમાં સામાન્ય તત્ત્વ છે તે જાણી લેવું અને તેને ધર્મનું ખરું સ્વરૂપ સમજવું અને બાકી રહે તે વાતને ગૌણ તથા આનુષંગિક સમજવી. પણ આવી રીતે જોઈશું તો ધર્મને બ્રહ્મની માફક જ અનિર્વચનીય તથા નિગુણપણું પ્રાપ્ત થશે. કારણ કે સર્વ ધર્મમાં જે મત – કિવા રિવાજ, કિંવા વિધિ ન મળી આવે તેને ત્યાજ્ય ઠરાવવામાં આવે, તે ધર્મમાં કેવળ નામ સિવાય બાકી શું રહે? ગુલાબનાં સર્વ પુષ્પમાં જે મળી આવે તે ગુલાબનું ખરું સ્વરૂપ એમ આપણે ઠરાવીએ, તે ગુલાબના ખરા સ્વરૂપમાં ગંધ, રૂપ, રંગ કેઈને પણ સમાવેશ કરી શકાશે નહિ. કારણ કે સર્વ ગુલાબમાં ગંધ, રંગ અને આકાર સમાન પણ હોય છે જ એવું કંઈ નથી. કેટલાંક નાનાં હોય છે, કેટલાંક મેટાં હોય છે, કેટલાંક કરમાયેલાં હોય છે, કેટલાંક કહી ગયેલાં હોય છે, કેટલાંક સુંદર હોય છે, કેટલાંક બેડેળ હોય છે, કેટલાંક સુવાસિત હોય છે, કેટલાંક ગંધરહિત હેય છે, કેટલાંક સર્વને આનંદિત બનાવે છે અને કેટલાંક જેવાં પણ ગમતાં નથી. આવી સ્થિતિમાં સર્વમાં જે સામાન્ય તત્ત્વ મળી આવે તેને ગુલાબનું ખરું સ્વરૂપ, એમ કહેનાર અરસિકને દોષ આપવો કે એક સુભાષિતમાં કહ્યા પ્રમાણે :
* आहूतेषु विहंगमेषु मशको नायान्पुरो वार्यते
मध्यवारिधि वा वसंस्तृणमणिर्धत्ते मणीनां रुचम् । खद्योतोऽपि न कंपते प्रविचलन्मध्ये ऽपि तेजस्विनाम् धिक् सामान्यमचेतसं प्रभुमिवानामृष्टतत्त्वान्तरम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org