________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા મતવૈચિત્ર્ય હોવાથી આ પ્રશ્નને સહજ ઊહાપોહ કરે અસ્થાને ગણાશે નહિ.
ધર્મનાં મુખ્ય બે અંગ છે. ૧. બુદ્ધિ અને ૨. સદાચાર. સબુદ્ધના બે પ્રકાર છે:- (અ.) ઈશ્વરશ્રદ્ધા, કર્તવ્યપ્રેમ વગેરે ગુણોનું અસ્તિત્વ અને દંભ, ઢેગ, લેવૈષણા વગેરે દેને અભાવ અને (આ ) ધાર્મિક તનું–વેદાંત વગેરેનું-અનુભવિક જ્ઞાન. કેટલાક ધાર્મિક માણસની બુદ્ધિ ઈશ્વરશ્રદ્ધાદિ ગુણોથી સંપન્ન હોય છે; પણ તેઓને ધર્મવિષયક તત્ત્વજ્ઞાન સાથે વિશેષ પરિચય હોતો નથી. ધર્મશાસ્ત્રમાં સદબુદ્ધિને બીજા અર્થની દૃષ્ટિએ વિચાર કરતાં તેમાં વેદાંત, તુલનાત્મક તત્ત્વજ્ઞાન, ધર્મવિષયક ઈતિહાસ, મતાન્તર, પંથો વગેરે બાબતોનું વિવરણ કરવું પડે છે. અંગ્રેજીમાં જેને થિયોલોજી (Theology) કહે છે, તેમાં આ બાબતને વિચાર કરેલું હોય છે. થિયોલેજીના એટલે દેવમીમાંસાશાસ્ત્રના બે પ્રકાર છે. . જે તે ધર્મો પ્રમાણભૂત માનેલા શાસ્ત્રના આધારે જ બધી બાબતોનો વિચાર કરવાને હેય છે તે (Dogmatic theology), અને ૨. સર્વ સામાન્ય તક પદ્ધતિથી જેમાં ઈશ્વરવિષયક પ્રશ્નને વિચાર કરેલો હોય છે તે (Natural theology). સદાચાર વિષે પણ સ્વતંત્ર શાસ્ત્ર અથવા શાસ્ત્રશાખાઓ છે. યજ્ઞાદિધર્મવિધિ અનેક અને ગૂંચવણ ભરેલા થાય છે એટલે તે સંબંધના નિયમ જેમાં ગ્રથિત થયા હોય છે, તેવું પણ એક શાસ્ત્ર બને છે. એને આપણે ત્યાં પૂર્વમીમાંસા કહેલ છે. લગ્ન, ઉપવીત, જનન-મરણાશૌચ વગેરે બાબતનાં નિર્ણયસિંધુ, ધર્મસિંધુ જેવાં જે પુસ્તકો છે, તે આ શાખાનાં જ છે. વર્તમાન કાળમાં યજ્ઞ વિશેષ થતા નહિ હોવાથી પૂર્વમીમાંસા કરતાં બીજા પ્રકારનાં પુસ્તકોની જ હાલમાં વિશેષ જરૂર જણાય છે એટલે જ માત્ર ભેદ છે. સદાચરણ એટલે શું, બ્રાહ્મણાદિ વર્ણનાં કર્તવ્ય શાં, રાજાએ કેમ વર્તવું, ગુરુશિષ્ય સંબંધ કેવો હોવો જોઈએ, લગ્ન કોણે, ક્યારે અને કોની સાથે કરવું વગેરે બાબતોને જેમાં વિચાર થયેલું હોય છે, તે મન્વાદિ સ્મૃતિ પણ ધર્મગ્રંથ છે; પરંતુ તેનું ક્ષેત્ર ધર્મસિંધુ, નિર્ણયસિંધુ વગેરે ગ્રંથેથી કંઈક ભિન્ન છે. સ્મૃતિમાં હાલ જેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org