________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા
यदा सर्वे प्रभिद्यन्ते ह्रदयस्येह ग्रन्थयः । अथ मोऽमृता भवत्येतावदनुशासनम् ।।
–કઠોપનિષદ
જુદા જુદા માણસો ધર્મ અને નીતિના સંબંધ વિષે જુદા જુદા પ્રકારનું વિવરણ કરે છે. કોઈ કહે છે, ધર્મ એટલે શિખર પરનું ઊંચું દેવાલય અને નીતિ એટલે દેવાલયમાં જવાનાં પગથિયાં. કેઈ એવું પ્રતિપાદન કરે છે કે, ધર્મમાં નીતિને અંતર્ભાવ થાય છે, પણ નીતિમાં ધર્મને થતું નથી. અન્ય કેટલાકના મત પ્રમાણે ધર્મ અને નીતિમાં વિશેષ ભેદ જ નથી. આ પંથવાળાનું કહેવું એવું છે કે, જેઓ લોકલજજાથી અથવા રાજદંડના ભયથી દુ:ખી કે લાચાર બની નીતિનિયમ પાળતા નથી, પણ તે પાળવામાં હૃદયપૂર્વક આનંદ માને છે, તેમને ધાર્મિક સમજવા અને બાકીનાને વર્તમાનુસાર નીતિમાન કે અનીતિમાન સમજવા. કેટલાક કહે છે કે, ધર્મના વ્યાપક અર્થમાંથી નીતિની કલ્પના કાઢી નાખતાં જે અંશ રહે છે, તે ધર્મ ઘેલછા, અજ્ઞાન, ઢોંગ જેવા સ્વરૂપને જ હોય છે. તત્ત્વવિવેચકેમાં આવા પ્રકારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org