________________
પૂર્વકથન ધર્મવિહિત છે માટે તે સ્તુત્ય છે એમ આપણે તેમને ઉપદેશ શું કે? તેમના ધર્મમાં કહેલી વાત બેટી અને આપણામાં કહેલી ખરી એમ જે કહીએ, તો તેમ કહેવાને પણ શે આધાર છે? એ કયા તત્ત્વના આધારે કોણે ઠરાવવું? ધર્મને પણ ખરે ખેટે ઠરાવનાર તો ગમે તે હો, પણ એટલી વાત તો સ્પષ્ટ છે કે, ધર્મમાં જણાવેલું હોવાના કારણે જેને આપણે માન્ય કરતા નથી, તે જ અન્ય કારણથી આપણને માન્ય હોય છે તે તેને આપણે માન્ય સમજીએ છીએ. નીતિશાસ્ત્રનું કામ એ છે કે, ખરું, ખાટું સારું, નરસું ઠરાવવાનાં જે ત છે તે વિચારમાં આવી શકે તેવાં છે એમ બતાવી આપવું. તારા જેમ આકાશમાંથી ખરે છે તેમ નીતિતત્વ આકાશમાંથી પડતાં નથી, પણ તેને ૧. એકબીજાની સાથે, ૨. આપણા આત્માનાં અન્ય અંગે સાથે, ૩. સમાજ સાથે અને ૪. પરિસ્થિતિ સાથે અતિ નિકટ સંબંધ છે તથા એ સંબંધ આપણે વિચારથી સમજાય તેવો છે, એ બતાવી આપવાને નીતિ શાસ્ત્રનો પ્રયત્ન હોય છે. મનુષ્યજ્ઞાન અલ્પ નહિ હોય પણ નિદાન અપરિપૂર્ણ હોવાથી એ પ્રયત્ન સંપૂર્ણ રીતે વિજયી નીવડવો દુર્ઘટ છે; તથા પ્રયત્ન કરે એ જ આપણું કર્તવ્ય છે.
નીતિશાસ્ત્રનાં ત્રણ અંગ જણાવ્યાં છે. 1. વર્ણનાત્મક, ૨. વગીકરણાત્મક અને ૩. અર્થવિવરણાત્મક. એમાંનું ત્રીજું અંગ સર્વથી વિશેષ મહત્ત્વનું છે અને આ પુસ્તકમાં ઘણા અંશે તેનું જ વિવેચન કર્યું છે. પહેલાં બે અંગનો વિસ્તારપૂર્વક ઊહાપોહ કરવામાં આવે તો ગ્રંથાવસ્તાર ઘણે વધી જાય તેમ છે; તેથી તેમાંની મહત્વની બાબતેનું દિગ્દર્શન કરીને જ અટક્યા છીએ. નીતિતત્તનો અર્થ છે, તેમને અન્ય–સંબંધ છે વગેરે પ્રશ્નોનો જ માત્ર વિશે વિચાર કર્યો છે. ભવિષ્યમાં સર્વ અંગેનું વિવેચન કરવાની ઈચ્છા છે. ( વિશાળ સાગરમાં જવા સારુ નદીનું મુખ જેમ જલચરને ઉપયોગી થાય છે, તેમ જ નીતિશાસ્ત્ર-સાગરમાં પ્રવેશ કરવા ઈચ્છનાર જિજ્ઞાસુને ઉપયોગી થઈ શકાય એટલી જ આ પ્રવેશગ્રંથની મહત્વાકાંક્ષા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org