________________
ધર્મ અને નીતિ
૫૩૭ પહોંચેલી હોય છે. કલ્પના કરે છે, એ જંગલી જાતિને કોઈ મોટા આગેવાન મૃત્યુ પામ્યો છે. ઉપર કહ્યું જ છે કે, મૃત્યુ, ચક્કર, કફ વગેરે એકસરખી ભાસતી સ્થિતિનાં યથાર્થ લક્ષણ કે ચિહન જંગલી લેકેને સમજાવાં શક્ય ન હતાં. અર્થાત્ એ નિશ્રેષ્ટ પડેલો માણસ ક્યારે ઊઠશે અને ક્યારે નહિ તેની તે જંગલી લોકાને કંઈ ખબર નહિ હોવાના કારણે નિદ્રામાં પડેલા માણસ પ્રમાણે, કિંવા બે ત્રણ દિવસ સુધી બેભાન રાખનાર વનસ્પતિ ખાનાર, કિવા ઝેરી જાનવરના ડંશથી પડેલા માણસની માફક એ ઊભો થશે એવી આશા (તે માણસ પ્રત્યે અણગમે હોય તો ભય) રહે છે તેથી શરીરમાંથી ખસી ગયેલા કિંવા રિસાયલા તેના આત્માને રીઝવવાને પ્રયત્ન કરે, તે ઊઠે ત્યારે તેને ખાવાપીવાનું મળે તે સારુ ફળ, માંસ પાણી વગેરે તેના શબ આગળ મૂકવું, તેને ફૂલ પસંદ હોય તે હંમેશા તેને આગળ ફૂલ મૂકવાં વગેરે કાય તેની માતા, પત્ની, પુત્ર અને અન્ય ઈષ્ટ મિત્રો માટે ઉચિત બને છે. આજના વખતમાં તો નાનાં બાળકે પણ મરણને અર્થ સમજી શકે છે, પરંતુ માનવજાતિની બાલ્યાવસ્થામાં તો મોટા મોટા માણસને પણ સમજાતો ન હતો. આ સંબંધમાં સ્પેન્સર, એલીસ, ફેજર વગેરે શાસ્ત્રોએ જે અનેક દષ્ટાંત આપ્યાં છે તે વિસ્તારપૂર્વક અહીં ઉતારવામાં અર્થ નથી. અનેક પ્રવાસીઓએ જણાવ્યું છે કે, મધ્ય અમેરિકાની કેટલીક જાતિ, ટેરિયન પ્રજા, ન્યૂગિનીના અસલ વતની, ઇજીપ્તના પૂર્વકાલીન લેક, પેરૂ દેશના મૂળ રહેવાસી અને આફ્રિકાના જંગલી લોક મૃત્યુ પામેલા સંબંધી અથવા જ્ઞાતિવૃદ્ધનું શબ (નિદાન તેનું મસ્તક) સંભાળી રાખી તેની પાસે ફળ, ફૂલ વગેરે આદરપૂર્વક ગઠવે છે. ઉક્ત કલ્પનાને કારણે જ મૃત્યુ પામેલા માણસના શરીરથી ભિન્ન મનાયલા પાણ, જીવ, આત્મા, પિશાચ, ભૂત (ગમે તે કહે) ના સમાધાન સારુ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે કાર્ય રૂઢ બન્યાં છે.
આ ઉપરથી એવું કરે છે કે, આપણા દેવનો જન્મ એ પ્રિત કિંવા પિશાચમાંથી થયે છે અને પવિત્ર દેવપૂજન મૂળમાં ખરેખર પ્રેતનો અંત્યેષ્ટિ સંસ્કાર છે. આ મત ચમત્કારિક લાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org