________________
પણ
ધર્મ અને નીતિ ભાવના ધારણ કરી, તે નિર્જીવ વસ્તુની, પ્રાણુની, વનસ્પતિની અને અંતે વિશ્વની પૂજા કરતે બને છે. આ વસ્તુપૂજનમાં કંઈ અર્થ નથી, એમાં પોતાના જેવી મનોવૃત્તિ હશે એમ માનવું ભૂલભરેલું છે, માણસ જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, નિર્જીવ અને સજીવ વસ્તુને વ્યાપાર વ્યવસ્થિત નિયમાનુસાર ચાલે છે, એ વસ્તુનો ઉપયોગ કરી લેવો હોય તો તેના પર ગુસ્સે થવામાં, તેને શિક્ષા કરવામાં કે તેની પ્રાર્થના કરવામાં કંઈ લાભ નથી, તેના વ્યાપારના નિયમ શોધી કાઢી કાર્યસિદ્ધિ કરી લેવી જોઈએ, એવી ખાતરી થવાને ઘણી વખત લાગે છે. જેમની એવી ખાતરી થઈ છે તેઓ વનસ્પતિપૂજક, પ્રાણીપૂજક અને વિશ્વપૂજકને વગોવે છે, મૂઢ માને છે; પણ તેમ કરવામાં કેટલાક અંશે ભૂલ થાય છે. બાળકને કહીએ કે, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે તેને ગ્રહણ લાગે છે; પણ તે વાત તેને સમજાય નહિ ત્યારે તેના પર ક્રોધ કરવો એમાં કંઈ અર્થ છે કે ? કોઈ પણ કિલષ્ટ વાત સમજાવાને પ્રથમ તેના ઘટકનું જ્ઞાન થવું જોઈએ. કેસર, ચોખા, ખાંડ, પાણી અને અગ્નિની માહિતી ન હોય તે કેસરી ભાત કેવી રીતે બનાવી શકાય? તે જ પ્રમાણે શાસ્ત્રાભ્યાસથી કાર્યકારણ સંબંધને ખરો નિશ્ચય કેવી રીતે કરવો તે જે સમજતો થયો છે, તે નહિ સમજનારને મૂર્ખ કહે કે ધિક્કારે તેમાં શો અર્થ છે ?”
પૂર્વજપૂજન અને પિશાચપૂજન કેટલાક માનવશાસ્ત્રજ્ઞ કહે છે કે, આરંભકાળમાં જંગલી લોકો મૃત્યુ, સ્વપ્ન, ચક્કર, ફેફ, વાયુ, કફ, ગાંડપણુ વગેરે શું છે તે સારી રીતે નહિ સમજતા હોય, એમાં રહેલા ભેદની તેમને ખબર નહિ હોય, તેમની ભાષામાં એવાં નામ પણ નહિ હોય; પરંતુ એ અજ્ઞાનને લીધે જ (૧) શરીર અને (૨) શરીરથી ભિન્ન એવો કાઈ પણ છે એવો ભેદ કરવાની પ્રવૃત્તિ થવી એ અવસ્થામાં પણ સ્વાભાવિક હતી. સ્વપ્રમાં પોતે વનવગડામાં અનેક સ્થળે જઈ આવે છે, ધસે છે, નાસે છે, શિકાર કરે છે, વહે છે, લડે છે, જખમી થાય છે; પણું શરીર તે જ્યાંનું ત્યાં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org