________________
ધર્મ અને નીતિ
૫૩૩ પંક્તિએ બેસાડી દે છે. તેઓ કહે છે કે, ધર્મનાં મૂળ બાલિશતા, અવિચાર, સુલભ શ્રદ્ધા, અજ્ઞાન વગેરેમાં મળી આવશે. આ શાસ્ત્રજ્ઞોમાંના કેટલાકનું બધુંયે લક્ષ ભીલ, કોળી, વાઘરી, રાતા હિંદી, એસ્કીમ, હેરાટ વગેરે જંગલી, ડુંગરી, અડાણી લોકો તરફ હોવાથી ધર્મનું ઉચ્ચતમ સુસંસ્કૃત સ્વરૂપ તેમની નજરમાં લાવવાનું મુશ્કેલ બને છે; અને તેઓ અજાણે જંગલી લેકેના બાલિશ કિંવા વિકૃત સ્વરૂપને વધારી પડતું મહત્ત્વ આપી ધર્મનું પૂજ્યત્વ ઘટાડવામાં કારણભૂત બને છે. કેટલાક કહે છે કે, રીંછ, વાઘે, અજગર, સાપ વગેરેથી બાલ્યાવસ્થા–આરંભકાળના જંગલી ભય પામતા હતા તેથી તેઓ તે પ્રાણીઓનું પૂજન કરતા થઈ ગયા હતા. આ પ્રાણીપૂજન તેમના ધર્મનું આદ્ય સ્વરૂપ છે. કેટલાક આ પ્રાણીપૂજનની ઉપપત્તિ જુદી રીતે લગાડે છે. તેઓ કહે છે કે, જંગલી માણસોને દાદા, બાપ, કાકા કે એવા જ કોઈ નિકટના સંબંધી શૌર્યમાં સિંહ, વાઘ સરખા; કે સ્વભાવે ગાયના જેવા ગરીબ અથવા સાપ જેવા કપટી તથા દુષ્ટ હશે ત્યારે કૌતુકતાથી તેમને સંબંધીના ગુણધર્માનુસાર સિંહ, વાઘ, ગાય, સાપ, કબૂતર, બિલાડી, હરણ વગેરે નામ પ્રાપ્ત થયાં હશે અને એ નામનો ઘણા દિવસ સુધી સહવાસ રહ્યો હશે તેથી કાળાંતરે તેમના વંશજને તે પ્રાણુ પૂજ્ય અને આદરણીય લાગ્યાં હશે. કેટલાક કહે છે કે, પ્રાણી પૂજનનું બીજું એક બીજ ઉત્તર અમેરિકાના મૂળ વતનીઓને “મેનિટુ--પૂજનમાં મળી આવવા જેવું છે. આ જંગલી જનોમાં એવો એક રિવાજ છે કે, છોકરાએ લાયક ઉંમર પ્રાપ્ત થયા પછી એક દિવસ ઉપવાસ કરવો અને ઉપવાસના દિવસે સ્વપ્રમાં જે પ્રાણી જણાય તેને તેણે પિતાને પાલક તથા હિતસ્વી માની તેનું ચિત્ર પોતાના શરીર પર શૃંદાવી લેવું; તેમજ અન્ય પ્રકારે તે પ્રાણી વિષે પૂજ્યભાવ વ્યક્ત કરવો. આવાજ પ્રકારની બીજી એક ઉત્પત્તિ છે. એકાદ જગલી જાતિએ અન્ય જાતિથી પોતાનું ભિન્નત્વ દર્શાવવા માટે એકાદ પ્રાણીનું ચિત્ર પોતાના ઝંડા પર દેવું; કિંવા બીજી રીતે તે પ્રાણીને પિતાની જતિનું ચિહ્ન સમજવામાં આવે તેવું કંઈ કર્યું; આથી અમુક પ્રાણીને પૂજ્ય માનવું એનો અર્થ અમુક વિશિષ્ટ જાતિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org