________________
૫૩૨
નીતિશાસ્ત્રપ્રવેશ
ચાર્વાક મત ચાર્વાક કહે છે કે, ધર્મ એટલે બુદ્ધિ-પૌરુષહીન લેકનાં ઉદર ભરવા બ્રહ્મદેવે યોજેલી એક યુક્તિ.
अग्निहोत्रं त्रयो वेदास्त्रिदण्डं भस्मगुंठनम् ।
बुद्धिपौरुषहीनानां: जीविका धातृनिर्मिता ॥ વર્તનથી ચાવકના આ મતના કારણભૂત જોશી, ભિક્ષુક, પાદરી વગેરે સર્વ દેશમાં જે કે હશે; પણ વિચારાતે કેઈને પણું એ મત ભૂલભર્યો લાગશે. કેટલાક વૈદિક ધર્મના સંસ્થાપક વિષે અનિશ્ચિત છે તેથી એ ધર્મની વાત છેડી દઈએ તોપણ બુદ્ધ, ક્રાઈસ્ટ, મહંમદ, લ્યુથર, રામમોહનરાય, સ્વામી દયાનંદ વગેરે ધર્મસંસ્થાપકોને કિવા ધર્મસુધારકાને ઉપજીવિકાની પંચાત હતી તેથી તેમણે ધર્મની સ્થાપના કરી એમ કહેવું એ વસ્તુસ્થિતિથી તદ્દન ભિન્ન છે. આ મહાત્માઓની પુણ્યાઈને વ્યાપાર કરી તુંબડી ભરનાર નાદાન માણસે ઓછી નથી; પણ ઉપાધ્યાય, પાદરી વગેરે સર્વ જ તેવા છે એમ કહેવું તે જગતમાં અંધકાર જ વ્યાપેલો છે; પ્રકાશનું નામનિશાન નથી એમ કહેવા સરખું છે.
લિંગપૂજન અને કામવાસના કેટલાક માને છે કે, લિંગપૂજન (Phallus-worship) કિંવા કામવાસનામાં Sexvuality ધર્મનું બીજ છે. મહાદેવના લિંગાર્ચન, શાક્તપંથની કેટલીક વિકૃત વિધિ અને જીવમાત્રમાં કામવાસનાનું રહેલું પ્રાબલ્ય વિચારમાં લેતાં કબૂલ કરવું ઘટે છે કે, ધર્મપ્રવાહમાં કામવાસનાના ઝરાનું જળ વચ્ચે વચ્ચે ભળ્યું હોય એ સંભવિત છે. પરંતુ પ્રત્યેકને કબૂલ કરવું પડશે કે, એ મલિન ઝરાને ધર્મગંગાનું મુખ સમજવામાં ભૂલ થશે.
પ્રાણ પૂજન, વનસ્પતિ પૂજન, અને ચિહ્નપૂજન ધર્મ એ સફેદ લેબાશમાં રહેલું લુચ્ચાઈનું સ્વરૂપ છે એમ ચાર્વાકની માફક કેટલાક આધુનિક માનવજાતિશાસ્ત્રજ્ઞ ( Anthro pologists) કહેતા નથી; પરંતુ તેઓ ફળની દષ્ટિએ ધર્મને લુચ્ચાઈના લઘુબંધુના સ્થાને શોભે તેવા ભોળપણ મૂર્ખત્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org