________________
પરિશિષ્ટ ૧૦
ધર્મ અને નીતિ महिम्नः पारं ते परम विदुषोयद्यसदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसनस्त्वयि गिरः । अथावाच्यः सर्वः स्वमतिपरिमाणावधि गृणन् ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः ॥
પુષ્પત (મહિમ્નસ્તોત્ર) શ્રદ્ધાશૂન્યતા, સંશયાત્મતા અને તર્કપ્રધાનતાના આ કાળમાં ધર્મ વિષે લખવું એ સંન્યાસીના લગ્નની તૈયારી કરવા જેવું છે. સંન્યાસી તરફ જોઈએ તો તેની પાસે નથી હોતો પૈસો, નથી હતાં કપડાંલત્તાં, નથી હોતું જઈ અરે, મફતિયા ચોટલી પણ નથી હોતી. ઠીક, તેના ઈષ્ટમિત્ર તરફ નજર નાખીએ તો
(* “વિવિધ જ્ઞાનવિસ્તારની પચાસીને આનંદિત્સવના સ્મારક તરીકે ઈ. સ. ૧૯૨૧માં તે માસિકના ચાલકે જે નિબંધસંગ્રહ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે, તેમાં “ધર્મ અને નીતિ’ વિષે મેં લખેલ એક લેખ પ્રસિદ્ધ થયો છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવશે કે આ લેખ અને
નીતિશાસ્ત્ર પ્રવેશ'માં એ જ વિષય પર લખેલા લેખના વિચારમાં શેડો તફાવત છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org