________________
કાર્યકાર્યવ્યવસ્થા
૫૨૩ રોગ દૂર કરનાર વૈદ્ય, કિંવા ઘર બાંધનાર એન્જનિયર, એ તજજ્ઞનો મત મારી બુદ્ધિમાં નહિ સમાય તો તે ચાલી શકશે; પરંતુ કાર્ય અકાર્ય વિષે હું મોહિત બનેલ હોઉં તે વખતે ઉપલબ્ધ તજજ્ઞ પુરુષનું કથન મારી બુદ્ધિ ન સ્વીકારે છતાં તેને પ્રમાણભૂત માનું તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે નહિ. નૈતિક બાબતમાં તે જે કહે તે શ્રેયસ્કર જ હોવું જોઈએ એવી મારી શ્રદ્ધા હોય તો પછી કંઈ કહેવાનું રહેતું નથી; પણ એટલી અચળ શ્રદ્ધા વ્યવહારમાં દષ્ટિએ પડતી નથી અને તેના અભાવે મને લાગે છે કે, નૈતિક તજજ્ઞનો મત અત્યંત વિચારણીય લાગે તો પણ તે જે બુદ્ધિગમ્ય થાય તો જ ગ્રાહ્ય સમજવો જોઈએ. રોગી અવસ્થા પ્રાપ્ત થઈ હોય તે પસંદ ન હોય તેવું ઔષધ લેવું અને ધર્મ વિષે મન ગૂંચવણમાં પડયું હોય ત્યારે પિતાને યોગ્ય લાગતો ન હોય તે ધર્મ સ્વીકારો એમાં ઘણું અંતર છે. તજજ્ઞની
ઔષધક્રિયા મારી પસંદગી કે નાપસંદગી ઉપર વિશેષ આધાર રાખતી નથી; પણ મને માન્ય ન હોય તે ધર્મ સ્વીકારું તો મારા મનને શાંતિ મળી શકે નહિ. લે. તિલકે મીલના જનહિતવાદ પર ટીકા કરી છે તેમાં બહુ સારી રીતે દર્શાવી આપ્યું છે કે, નીતિનું ખરું ત્તત્ત્વ કર્તાની બુદ્ધિ પર આધાર રાખે છે; બાહ્ય કર્મ પર નહિ. અર્થાત સ્પષ્ટ થાય છે કે, કર્તાની બુદ્ધિ એકાદ કર્મ કરવાને રાજી ન હોય છતાં સમીપ રહેલે તજજ્ઞ તે કામ કરવા કહે તેટલા જ ઉપરથી તે કર્મ કરવા પ્રવૃત્ત થશે તે બાહ્યકર્મ નીતિનું ગણાશે; પણ નૈતિક દૃષ્ટિએ બુદ્ધિ જેવી હોવી જોઈએ તેવી રહેશે નહિ.
અહીં નીતિશાસ્ત્ર એટલે કાર્ય-અકાર્ય-વ્યવસ્થા-શાસ્ત્ર કોના માટે છે તેને સહજ ખુલાસો કરવો જોઈએ. નૈતિક દષ્ટિએ જનસમાજના ચાર વર્ગ પાડી શકાશે :
(૧) પૂર્ણ જ્ઞાની; એટલે મુક્ત.
(૨) પૂર્ણ જ્ઞાની નહિ; પણ અન્ય ઉપર નિઃસીમ શ્રદ્ધા ધરાવનાર; એટલે પૂર્ણ શ્રદ્ધાવાન મુમુક્ષુ.
(૩) પૂર્ણ જ્ઞાની નહિ, નિઃસીમ શ્રદ્ધાવાન પણ નહિ; પરંતુ જેમનામાં ધર્મજિજ્ઞાસા રહેલી છે તેવા અશ્રદ્ધાવાન મુમુક્ષુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org