________________
૫૧૬
નીતિશાસ્ત્રાપ્રવેશ કેટલાક શાસ્ત્રજ્ઞ કહે છે કે, એ દષ્ટાંત પરથી કંઈ નિર્ણય થત નથી. તેઓ કહે છે :
૧. નાડીઓ તેડી નાખવામાં આવેલાં ડુક્કરનાં કેટલાંક બચ્ચાંને અપસ્માર રોગ લાગુ પડ્યો છે એ વાત ખરી છે; પણ તે ડુક્કરનાં સર્વ જ બચ્ચાંને એ રોગ લાગુ પડ્યો નથી. ઘણાં ખરાં બચ્ચાં અશક્ત થયાં એટલું જ. કેટલાંકને અપસ્માર થવાનું કારણ પિવિશિષ્ટ રેગ નહિ પણ અશક્તતા હશે.
૨-૩. બળદના પૂછ અને ગાયના શિંગડા વિષે કહી શકાશે કે, એ વિલક્ષણ વેગ કાકાલિય ન્યાયને હશે અથવા પૂછ અને શિંગનું ખંડન અકસ્માત થયેલા સહજભેદનું (Accidental inborn variations) પરિણામ હશે.
૪. શહામૃગની પાંખો તેમનાં વડીલેએ ઊડવાનું ત્યજી દીધાથી અથવા અનભ્યાસથી નિર્બળ બની નથી, પણ પૂર્વે એક વિવક્ષિત સમયે વિશિષ્ટ પરિસ્થિતિના કારણે નિરુપયોગી બની હતી, અર્થાત તેમણે ભક્ષ્યસંપાદનાથે કે અન્ય માટે ઉડવાને બદલે દેડવાનો ઉપક્રમ શરૂ કર્યો તે કારણે નિર્બળ બની છે. આવા સંજોગોમાં અધિક મજબૂત પગવાળા શહામૃગની જીવન કલહમાં પ્રગતિ થવી સ્વાભાવિક છે. અહીં પ્રશ્ન એ થઈ શકે છે કે કયા શહામૃગના પગ સ્વાભાવિક રીતે બળવાન હશે? એને. ખુલાસો એ થઈ શકે છે કે, બીજે કઈ અવયવ ખામીભર્યો હશે તેથી તે અવયવને પુષ્ટિ આપવા માટે આવશ્યક અશક્તિ જે પિતાના પગની પુષ્ટિ માટે ખરચી શક્યો હશે તે તે હવે જોઈએ. આંધળે માણસ જેમ કાને વિશેષ સાંભળી શકે છે તેમજ જેની પાંખમાં સ્વાભાવિક રીતે બળ ઓછું હોય તેના પગમાં વિશેષ બળ હોવાને ઘણે સંભવ છે. એવા શહામૃગની તે વિશિષ્ટ પરિસ્થિતિમાં સરસાઈ થઈ, જીવનકલહમાં તે ટકા અને તેની પાંખની નિર્બળતા – સ્વાભાવિક બલાહીનતા તેનાં બચ્ચાંમાં ઊતરી. જે શહામૃગની પાંખે સારી હતી પણ પગ નિર્બળ હતા તે તે સમયમાં મરી ગયા અને ઉપર વર્ણવેલી જાતિનાં શહામૃગ જ બચી ગયાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org