________________
આનુવંશિક સંસ્કાર
૫૦૯ બેટનાં પક્ષી કેટલીક વાર ઘણાં હિમતવાળાં જણાય છે, તે પ્રથમ માણસથી ડરતા નથી, પરંતુ તેમને થોડા જ સમયમાં અનુભવથી જણાય છે કે, મનુષ્ય એ એક અતિ દુષ્ટ પ્રાણી છે, તે તેમનો શત્રુ છે. અને તે પક્ષીનાં બચ્ચાં એ અનુભવથી જ જાણે સ્વાભાવિક રીતે ડાહ્યો બની ગયાં હોય તેમ માણસને નવ ગજના નમસ્કાર જ કરે છે ! અહીં માતાપિતાને અનુભવ બાળકમાં સંક્રાન્ત થયેલ જણાય છે. આવા અનેક દષ્ટાંત છે. તેમાંથી કેટલાંક ટૂંકમાં ઉતારીશું. ઊંચા વૃક્ષનો પાલે ખાવા માટે “જિરાફના પૂર્વજોએ વારંવાર ડોક લંબાવ્યાથી હવે જિરાફની ડોક પૂર્વસંસ્કારના પ્રભાવે લાંબી બનેલી છે. શરતના ઘડાથી ઉત્પન્ન થયેલા ઘડા શરતના મેદાનમાં અત્યુત્તમ કરે છે. દારૂડિયાનાં બાળક ખરાબ સંસ્કારથી દારૂડિયાં નીપજે છે. વિરુદ્ધ પક્ષે પેઢીઓથી શ્રીમંત રહેલા કુટુંબનાં બાળક સારા સંસ્કારથી નાજુક, મેહક અને વૈભવી છે. બ્રાહ્મણનાં બાળક બુદ્ધિશાળી હોય છે. ગરમીના રોગવાળાના બાળકને બહુધા ગરમી થાય છે. અધિકારીના બાળકની પ્રવૃત્તિ વડીલની માફક જ બાલ્યકાળથી આધકાર ચલાવવા તરફ હોય છે; વગેરે વગેરે.
અનુભવ પ્રાપ્ત ગુણ બાળકમાં ઊતરતા નથી એમ કહેનારાઓનું આવાં દતથી સમાધાન થતું નથી. તેઓ જણાવે છે કે, દારૂડિયાનો પુત્ર પૂર્વસંસકારથી દારૂડિયા નથી થતો પણ જન્મ પછી પ્રત્યક્ષ નજરે પડતા દષ્ટાંતથી દારૂડિયો બને છે. ગરમીના રેગવાળા પુરુષ કે સ્ત્રીથી થતા બાળકને ગરમી થવાના કારણમાં આનુવંશિક સંસ્કાર નથી પણ ઉદરવાસ સમયે અથવા ત્યાર પછી ગરમીના સૂમ વિષજતુ તેના શરીરમાં પ્રવેશ કરે છે એ છે. અધિકારીના સત્તાપ્રદર્શક બાળક અથવા બ્રાહ્મણને બુદ્ધિશાળી બાળકને માટે પણ તેમજ કહેવામાં આવે છે. અધિકારીને બાળક જન્મથી જ સત્તા પ્રદર્શક હોતો નથી. જન્મ પછીના સંસ્કારથી તે બને છે, બ્રાહ્મણને બાળક જન્મથી હોશિયાર નથી હોતો પણ ઘરના વ્યવસ્થિત સારા વલણથી બ્રાહ્મણતર કરતાં હોશિયાર ભાસે છે. જિરાફની ડેક લાંબી હોવાનું કારણ તેના પૂર્વજોએ ડોક લંબાવેલી એ નથી, પણ “સ્વાભાવતઃ' તેના પૂર્વજોની ડોક લાંબી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org