SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ ઉદાહરણ રજૂ કરે છે. તે કહે છે કે, બ્રાહ્મણ બાળકનું મગજ જ્યારે વંશપરંપરાગત – આનુવંશિક સંસ્કારથી શુદ્ધતર અથવા તીવ્રતર બને છે, ત્યારે બાપદાદાઓના મસ્તક પર હજારો વર્ષથી હજામના અસ્ત્રાથી મુંડન સંસ્કાર થતો આવ્યો છે છતાં બાળકોને પહેલાંના જેવા જ વાળ કેમ થાય છે ? આમાંથી ઉપહાસાત્મક ભાગ છેડી દઈએ તો વાચકના ધ્યાનમાં આવશે કે, આ પ્રશ્નથી ક્યા સંસ્કાર આનુવંશિક હોય છે અને કયાં નથી હોતા તેનો ઊંડો વિચાર કરવાની આવશ્યકતા છે. જેવું બીજ તેવો ફણગે' એ ન્યાય પુષ્કળ બાબતમાં સંપૂર્ણ પણે લાગુ પડે છે, એની કોઈ પણ ના કહી શકે તેમ નથી. આમ્રફળ વાવીને કોઈ દ્રાક્ષફળની આશા રાખતું નથી, પરંતુ આંબાને ગેટલો દસ પંદર વર્ષ સાકરના પાકમાં રાખી મૂક્યા બાદ વાવવામાં આવે તો દસ વીસ વર્ષ સુધી સાકરનો સંસ્કાર થવાથી તેનાં ફળ વિશેષ ગળપણવાળાં થાય કે કેમ એ વિષે શંકા થવી સ્વાભાવિક છે. કેટલાક કહે છે કે, મનુષ્યનો રંગ, ટેવ અને બોલવા ચાલવાની પદ્ધતિ વગેરે સ્વાભાવિક ગુણું” બાળકમાં આવેલા જણાશે, પણ તેનું શિક્ષણ, અનુભવ વિચાર વગેરે સંપાદિત ગુણ (Acquired Characters )* બાળકમાં સંક્રાંત થતા નથી. ઉત્તમ ગાજરથી ઉત્તમ ગાજર ઉત્પન્ન થશે એ વાત આ લેને કબૂલ છે; પણ કવાયત જાણનાર સૈનિકથી અલ્પાંશે પણ કવાયત જાણનાર સૈનિક પેદા થાય, એમ તેમને લાગતું નથી. દૃષ્ટાંતાત્મક ભાષા છોડી દઈ સામાન્ય રીતે બેલીએ તો કહેવાશે કે સ્વભાવઃ જ બીજમાં કે શુક્રમાં રહેલા સ્વાભાવિક ગુણ ફળમાં અથવા બાળકમાં જેમ ઊતરી શકે છે, તેમ કૃત્રિમ, અનુભવ પ્રાપ્ત, સંપાદિત ગુણ ઊતરતા નથી. આમ બંને પક્ષનું કથન આપણે સાંભળીએ છીએ ત્યારે તેમાં ખરું શું ? અનુભવ પ્રાપ્ત ગુણ આનુવંશિક બની શકે છે એમ કહેનારા ઉદાહરણ આપતાં જણાવે છે કે, સમુદ્રમાં નવીન જણાઈ આવેલા * અહીં Character એટલે સ્વભાવ નહિ પણ ગુણ અથવા લક્ષણ છે એ ધ્યાનમાં રાખવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy