SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૭ આનુવંશિક સંસ્કાર કેટલાક કહે છે કે, બ્રાહ્મણને બાળક બ્રાહ્મણતર કરતાં પૂર્વ સંસ્કારને પ્રતાપે અધિક બુદ્ધિશાળી હોય છે અને તે જ કારણથી તે વિશેષ સાત્વિક હોય છે. આ કથનનો અર્થ એ છે કે, કુળમાં હજારો વર્ષથી અધ્યયન, અધ્યાપન અને સાત્વિક આચારની પરંપરા ચાલતી આવ્યાથી સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ બાળક વિશેષ બુદ્ધિશાળી અને સાત્વિક નીપજે છે. સ્પષ્ટ છે કે, માતા પિતાના ગુણ બાળકમાં ઊતરે છે, એ તત્વનો જ ઉક્ત વિધાનમાં આધાર લેવાયો છે, પણ એ તત્ત્વ સર્વ બાબત માટે સત્ય છે કે ? વિચારી વાચકને કહેવાની જરૂર નથી કે અનેક બાબતોમાં આ તત્ત્વ લાગુ પડતું નથી. દાખલા તરીકે ઘોડાની અને ઘડીની પૂછડી કાપી નાખવામાં આવે છે પણ તેની સંતતિ અર્ધા પૂછયુક્ત ઉત્પન્ન થતી નથી. ચીની સ્ત્રીઓ હજારો વર્ષથી પગનાં તળિયાં મારીમચડી પાટા બાંધી નાનાં બનાવી દેતી આવી છે; પરંતુ જન્મ લેતા ચીની બાળકના પગ બીજા બાળકના જેટલા જ હોય છે. તે કંઈ પૂર્વસંસ્કારના પ્રભાવે નાના બની જતા નથી. એક વિનોદી મિત્ર સંસ્કારતત્વની વિરુદ્ધ છે. તે પિતાના કથનના સમર્થન માટે કંઇક હાસ્યજનક એવું આપણું દેશનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy