________________
વનસ્પતિને સંવેદના હેય છે? ૫૦૧ આદર નહિ સ્વીકારવા જેટલો દેશાભિમાનશૂન્ય છે એમ પણ માનવાનું વિશેષ કારણ નથી.
આપણે અન્ન ખાઈએ છીએ તેનું રક્ત, ચરબી, હાડ, વગેરેમાં જે રૂપાંતર થાય છે, તે ક્રિયામાં અતિ કલ્પકતા અને ડહાપણ હોય છે; પણ સામાન્ય માણસને ઉદરની એ ક્રિયાનું જ્ઞાન હોતું નથી. ઘડિયાળની ક્રિયા ડહાપણની ભાસે છે, પણ તે વડિયાળ તે તેનાથી પૂર્ણ અજ્ઞાન જ હોય છે, એ વાત ધ્યાનમાં રાખવામાં આવશે તો નસ્પતિની ક્રિયા ગમે તેટલી હોશિયારીની જણાય પણ તેને તેનું જ્ઞાન હશે જ એમ કંઈ કહી શકાય નહિ એમ શા માટે કહેવામાં આવે છે તેની કલ્પના થઈ શકશે. સિનેમામાં પુરુષ અને સ્ત્રીઓ નાચે છે, કુદે છે, રમે છે, હસે છે તેથી કંઈ તેમનું ખરેખર અસ્તિત્વ છે એમ કહી શકાશે નહિ, તેવી જ રીતે વનસ્પતિની ક્રિયા મનુષ્ય શરીરમાં થતી ક્રિયા જેવી જણાય છે માટે મનુષ્ય પ્રમાણે તેમને પણ સુખદુઃખની ભાવના છે એમ કહેવું બરાબર થશે નહિ એવી લેખકની વિચારસરણી છે. સિવાય તેમને સુખદુઃખની ભાવના છે એમ કહેનારને અને ખરેખર તેમ માનનારને કુમળી કાકડી કે બટાકા બાફી ખાવા એ નિદયતા ભર્યું કૃત્ય લાગશે અને પછી માંસાહાર પ્રમાણે જ શાકાહાર ત્યાજ્ય જણાવા લાગશે, એવા પ્રકારના વ્યાવહારિક વિચાર છેવટે હું રજૂ કરવાનો છું.
હવે પ્રથમ દ. બસુએ કયા પ્રયોગ કર્યા છે અને તેમાં તેમને શું જણાયું છે તેને સહજ વિસ્તારથી વિચાર કરીશું. દા. બસુની શોધને સ્વીકાર થતા સુધી શાસ્ત્રોની એવી માન્યતા હતી કે, પ્રાણીવર્ગ અને વનસ્પતિ એ બંને તદ્દન ભિન્ન વર્ગ છે. વનસ્પતિ ચાલી શકતી નથી, પ્રાણી ચાલી શકે છે; વનસ્પતિમાં મજાનતંતુ – ચેતનાતંતુ નથી તેથી તેને ચેતના હેતી નથી અને પ્રાણીને ચેતના હોય છે; આઘાત થતાં વનસ્પતિ સ્વસ્થ રહીને સહન કરે છે ત્યારે પાણી આઘાતરૂપી સવાલને ગોગ્ય જવાબ આપે છે; પ્રાણીના શરીરમાં એવા કેટલાક ભાગ હોય છે કે, તે (દાખલા તરીકે હૃદય, નાડીઓ) હમેશ કૂરણ પામે છે, ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org