________________
પરિશિષ્ટ ૬ વનસ્પતિને સંવેદના હોય છે? ઉક્ત પ્રશ્ન વાંચતાની સાથે જ સુશિક્ષિત હિંદીઓને દા જગદીશચંદ્ર બસુની ખરેખર કૌતુકાસ્પદ એવી શોધનું સ્મરણ થયા સિવાય નહિ જ રહે. આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે કે, આપણને જેમ સુખદુઃખ થાય છે તેમ વનસ્પતિને પણ થાય છે. આપણને જેમ ઝેરની માઠી અસર થાય છે તેમ તેને પણ થાય છે, આપણે જેમ ભારે બે રાક લઈએ છીએ ત્યારે સુસ્ત બનીએ છીએ તેમ વનસ્પતિ પણ બને છે વગેરે વગેરે બાબતે દા. બસુએ સપ્રયોગ સિદ્ધ કરી બતાવી છે; એમ વર્તમાનપત્રો અને માસિકના લેખમાં કેટલીક વખત આપણે વાંચવામાં આવે છે, પણ આ વિધાનનું વિસ્તૃત અને સુમિ વિવેચન કવચિત જ દષ્ટિએ પડે છે. દા. બસુની શોધનું વર્ણન વાંચીને વનસ્પતિવર્ગને મનુષ્યના જેવી જ સંવેદના છે” એવી ખાતરી હજુ આ લેખકને થઈ નથી. કઈ શંકાઓ થાય છે તે આ લેખમાં બતાવીશું.
આ વિવેચન કરતા પૂર્વે કહેવાની જરૂર છે કે, દા. બસના પ્રયોગ ભૂલભરેલા છે અથવા વ્યર્થ છે એમ કહેવા જેટલા લેખક મૂખ નથી. તેવી જ રીતે તેમની શોધ માટે સકૌતુક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org