________________
૪૦
નીતિશાસ્ત્ર પ્રવેશ આપણી સામે બેઠેલી પ્રિયપત્ની જેમ આંખને ખૂંચતી નથી, તેમ “તેને આત્મા ભિન્ન અને મારો ભિન્ન” એ દૈતાત્મક જ્ઞાન અદ્વૈતાનંદને વિઘાતક નથી. ઊલટું એથી તેનું પેષણ થાય છે. માત્ર બંનેનું મન એક હેવું જોઈએ.
સૃષ્ટિદેવના આત્માનું અથવા પરમાત્માનું, અને પૂર્ણ જ્ઞાન પામેલા જીવાત્માનું તાદામ્ય એવા જ પ્રકારનું છે,– અથવા કહો કે હેવું જોઈએ. જીવાત્માને પરમાત્માના સમુદ્રમાં જલબિંદુની માફક એવો લય ન થવો જોઈએ કે તે વખતે તે અહંભાવ તદ્દન વીસરી જાય. અહંભાવ તો રહેવો જ જોઈએ, પરકીયતા, વિરોધ, કલહ ન હોવાં જોઈએ. આધુનિક માણસોની એવી ઈચ્છા છે કે, આપણું જ્ઞાન પરમાત્મા જેવું બનવું જોઈએ, તેનું હંગત આપણુ સર્વને સમજાવું જોઈએ, તે કરે છે તે જ યથાયોગ્ય કેમ છે તે જણાવું જોઈએ અને આપણને એગ્ય લાગે છે તે જ તે કરે છે એ આપણી નજરે પડવું જોઈએ. તેમની ઈચ્છા એવી છે કે, સર્વ લેકેને એ પૂર્ણ જ્ઞાન અને અદ્વૈતાનંદ પ્રાપ્ત થઈ ને સર્વ આત્માની વિશિષ્ટતા બાગના પુષ્પ પ્રમાણે ચિરકાળ રહેવી જોઈએ અને એક બીજાના આનંદ તથા સૌંદર્યને સહાયક બનવી જોઈએ. રામાનુજે આત્મા અનેક માન્યા છે અને પરમાત્મામાં તે પૂર્ણ લય પામતા નથી એમ કહ્યું છે તેને મર્મ આ જ હશે કે?
અંતરાત્માનું અદ્વૈત આપણને ઉપર વર્ણવેલું અદ્વૈત મળવાનું છે, પણ તે પહેલાં આપણે બીજી એક અદ્વૈતસિદ્ધિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. સૃષ્ટિ તે ગમે તેવી પણ બહારની છે, પરંતુ આપણા અંતરાત્મામાં ઐક્ય ક્યાં છે? વિષયવિલાસી આત્મા કહે છે, “મને પ્રત્યેક પ્રકારના ભેગ અને વિલાસ જોઈએ છે.” મોક્ષની આકાંક્ષા રાખનાર આત્મા કહે છે કે “એ શક્ય નથી. તારે કેટલાક ભેગોને સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને કેટલાકનું નિયમબદ્ધપણે જ સેવન કરવું જોઈએ.’ આત્માના અંતકલહ આગળ સૃષ્ટિ સાથે કલહ કંઈ ગણતરીમાં નથી; કારણ આત્મામાં જિજ્ઞાસા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org