SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ વૈત અને અદ્વૈત ૪૯૭ નથી. આ ઘરમાં આપણી સત્તા નથી અને આપણને વિશેષતઃ કોઈ પૂછતું નથી. જે તે પિતાની મરજી પ્રમાણે આ ઘરમાં કર્યો જાય છે; તથાપિ દિનપ્રતિદિન અહીંની અવ્યવસ્થા ઓછી થતી જાય છે અને જે વાત આપણને નિરુપયોગી તથા હાનિકારક લાગતી હતી તેમાંની કેટલીક તેવી નથી એમ અનુભવતે જણાવા લાગે છે. આ ક્રમે જતાં જતાં કોઈ પણ વખતે માનવજાતિને એક એ દિવસ પ્રાપ્ત થશે કે, તે વખતે જગતમાં પરકીય જેવું કંઈ જ નહિ લાગે; સર્વ માણસ એક જ કુટુંબનાં છે એવી ભાવના સર્વમાં ઉત્પન્ન થશે અને આપણા આત્મામાં કે અન્યત્ર કોઈ પણ સ્થાને અવ્યવસ્થા, કુરૂપતા, દુધ, મોહ, પાપ, યાતનાનું દર્શન નહિ થાય અને આપણે કૃતાર્થો થઈશું! અદ્વૈત અને અહંકારનાશ વેદાંતીઓ કહે છે કે અદ્વૈતાવસ્થામાં અહંકાર નષ્ટ થાય છે. તેમની દૃષ્ટિએ એ ખરું હશે, પણ ઉપર જે અદ્વૈતાવસ્થાનું વર્ણન કર્યું છે તેમાં અહંકારને નાશ થતો નથી એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અનુરૂપ અને પ્રેમબદ્ધ પતિપત્નીમાં અદૈત હશે પણ જેમ અહંકાર નષ્ટ થતો નથી, તેમ આ અદ્વૈતાવસ્થામાં પણ અહંકાર નષ્ટ થતો નથી. પતિપત્નીનો સ્વભાવ મળતો હોય છે, એકબીજાના વિચાર પરસ્પર સમજાય છે અને રચે છે, પરસ્પરમાં સંશયને સ્થાન રહેતું નથી, એકબીજા માટે એકમેકને આદર રહે છે. મનમાં કંઈ છુપાવવા જેવું રહેતું નથી, તકરારનો કદી પ્રસંગ જ આવતો નથી, માનાપમાન કે અધિકારને પ્રશ્ન લય પામી જાય છે એટલે “જે કે દેહ ભિન્ન હોય છે તો પણ તેમનો આત્મા એક જ છે” એમ આપણે કહીએ છીએ; પરંતુ એ તાદાભ્યનો અર્થ એવો નથી કે, “હું” “તું ને ભેદ તેમનામાં નથી હોતો. એ ભેદમાં જે વિષ છે તે માત્ર પ્રેમવાળાથી દગ્ધ થઈ ગયું હોય છે એટલે જ એનો અર્થ છે. અહંભાવ જ્યારે શુદ્ર કેટીને હોય છે ત્યારે આંખમાં પડેલા કણની માફક ખૂંચે છે, પણ ચક્ષુની કીકીમાં પ્રતિબિંબરૂપે રહેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy