________________
નીતિશાસ્ત્રપ્રવેશ વધીને એ તીવ્રતા ઓછી થાય છે અને સુભાગ્ય હોય છે તે આ જન્મમાં જ કેટલાક અતાનંદ અનુભવે છે. જેમની ઈશ્વર પર દઢ શ્રદ્ધા છે તેમને જ એ આનંદ પ્રાપ્ત થાય છે. તેમને લાગે છે કે જગત માં ઈશ્વર જે કંઈ કરે છે તે સારું જ હોવું જોઈએ. દુઃખ, વિરહ, કલહ, પાપ, જગતમાં ગમે તે થાય છે, કાઈ ગમે તે કરે છે તે પણ તેમની શાંતિ ઢળતી નથી. દુષ્યન્તને શાપ આપવા છતાં મારીચઋષિની શાંતિ જરીકે ચલિત નહોતી થઈ, કારણકે શાપનું કારણ અને શાપનો અંત આવી અંતે શકુડંલા અને દુષ્યન્તને મેળાપ થવાના છે એ વાત તે ત્રિકાળજ્ઞ મુનિના ધ્યાનમાં હતી. કવમુનિ મારીચ જેટલી ઉચ્ચ સ્થિતિએ પહેચેલા ન હતા તેથી કન્યાને વિરહ થશે એ વિચારથી ચિંતાકુલ બન્યા હતા. અસ્તુ; કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, આપણને સંકટ અને દુઃખ જેવાં લાગે છે તેવાં ત્રિકાળને લાગતાં નથી, કારણ એ સંકટ અને દુઃખથી કેવું કલ્યાણ થવાનું હોય છે તે તેમની જાણમાં હોય છે. વ્યભિચારાદિ પાપ, રોગ, હિંસા વગેરે સર્વ અમંગલ વાત આગળ પાછળને વિચાર કરતાં તેમને આવશ્યક અને ઈષ્ટ લાગે છે.
કેટલાક કહેશે કે આ છેવટનું વર્ણન પૌરાણિક અર્થાત કાલ્પનિક છે. પણ એવા ત્રિકાળજ્ઞ મુનિ પૂર્વે થઈ ગયા છે કે નહિ અથવા અદ્યાપિ છે કે નહિ એ પ્રશ્ન ગૌણ છે. મુખ્ય મુદ્દો એ છે કે, એવી આનંદાત્મક અદૈતાવસ્થા પ્રાપ્ત કરી લેવી એ આપણું ધ્યેય છે. આપણને જગત જેવું હોવું જોઈએ એમ લાગે છે તેવું તે દેખાતું નથી. આપણા આત્માને જગતમાં ભૂલા પડ્યા જેવું લાગે છે. ઘરને તાળું મારી બહારગામ જઈ ઘણું દિવસે પુનઃ ઘેર આવ્યા પછી આપણને જેમ પ્રથમ આપણે જ ઘરમાં અપરિચિતપણું લાગે છે તેમજ જીવાત્માને આ જગતમાં લાગે છે. થોડી વાર પછી ઘર વાળીઝૂડી સાફ કરી સામાન વગેરે યોગ્ય સ્થાને ગોઠવી દઈએ છીએ એટલે પાછું આપણું મન સંતોષ પામે છે. આવા પ્રકારનો સંતોષ જગતમાં અલ્પ પ્રયાસથી થતું નથી, કારણ આ વિશાળ ગ્રહ આપણા એકલાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org