________________
દ્વૈત અને અદ્વૈત
૪૯૫ તેના પદનો અર્થ કરવાનું કાર્ય અતિ કઠિન છે અને અર્થ કર્યા પછી પણ આગલાં પાછલાં અન્ય પદોનો શો સંબંધ છે તે કહેવાનું તેથીયે કઠિન છે; તથાપિ માનવી પ્રયત્નથી સૃષ્ટિગ્રંથના કેટલાક અધ્યાયને અર્થ માણસને સમજાય છે અને કેટલેક સ્થળે તેણે પાઠાન્તર કરી અર્થ સુધાર્યો પણ છે. એ જ ક્રમ જે આગળ ચાલુ રહેશે તો દુઃખાત્મક, પાપાત્મક, નીરસ અને રસને હાનિકારક એ ભાગ દૂર થઈ સૃષ્ટિગ્રંથ આનંદમય, રસપૂર્ણ, મધુર અને શાંતિપ્રદ થશે એમ કેમ નહિ માનવું ? - સૃષ્ટિ જે કંઈ કરે છે તે સારું છે એમ લાગશે કિવા સૃષ્ટિક્રમની દિશા આપણું મનને રુચે તેવી કરી લઈશું તે દૈત દૂર થઈ જશે. જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણામાં “અહંભાવ” જ ન હતો તેથી આપણે “અદ્વૈતી” હતા. “સૃષ્ટિ” જે કંઈ વિચાર જ તે સમયે ન હતા, ત્યારે “સૃષ્ટિ સારી કે ખરાબ' એ પ્રશ્ન ક્યાંથી આવી શકે? બાલ્યાવસ્થામાં આપ – પરભાવ ન હતો, સૃષ્ટિનું જ્ઞાન ન હતું, માતા એ માતા છે એટલું જ્ઞાન ન હતું, એવી એ અદ્રેતાત્મક સ્થિતિમાંથી નીકળીને આપણે દૈતાવસ્થામાં આવીએ છીએ; પણ એ દૈતાવસ્થા સમાધાન કરતી નથી. આપણો પ્રવાહ સદૈવ અદ્વૈત તરફ હોય છે; પણ અદ્વૈત કંઈ ફૂંક મારવાથી આવતું નથી. આપણને દ્રવ્યની જરૂર છે, સૃષ્ટિદેવ તે ધીમે રહીને આપણા ખિસ્સામાં નાખી દેતો નથી તેથી તે પરકીય લાગે છે. આપણને લાગે છે કે આપણાં બાળ-બચ્ચાં નીરોગી, સુદઢ અને સુંદર હોવાં જોઈએ, પત્ની સુરૂપ અને સુશીલ હોવી જોઈએ, દેશમાં શાંતિ હોવી જોઈએ, ઔદ્યોગિક, ધાર્મિક, રાજકીય, નૈતિક, સામાજિક સર્વ પ્રકારે ઉન્નતિ થવી જોઈએ, જગતમાં માતા-પુત્રનો વિરહ કે કલહ ન હૈવાં જોઈએ, પતિ-પત્ની કદી વિખૂટાં ન પડવાં જોઈએ, પ્રત્યેકને ઘરબાર હોવું જોઈએ, જરૂર જેટલી જમીન અને દૂધ દહીં માટે ગાય ભેંસ હોવાં જોઈએ; પણ સૃષ્ટિ આપણું
ક્યાં સાંભળે છે ? તેને તો ક્રમ જ જુદો છે, અરે તદ્દન ઉલટ છે. આ પ્રકાર સારી રીતે ધ્યાનમાં આવ્યા પછી સૃષ્ટિ અને આપણી વચ્ચેનું દૈત તીવ્ર બને છે. કાળાંતરે વિચારશક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org