________________
૯૪
નીતિશાસ્ત્ર પ્રવેશ સર્વ પુનઃ એકછવ અને એકદિલ બનીશું. સૃષ્ટિ ગમે તેવી છે. નીતિપ્રિય હોય તો ઠીક છે, ન હોય તે બાંધીને તેને ઠેકાણે લાવી નીતિના રસ્તે ચાલવાનું શીખવવું જોઈએ ! આ કામ કઠિન છે, પરંતુ નિરાશ થવાને કારણ નથી. સૃષ્ટિની સાથે જેમ જેમ પરિચય વધતો જાય છે તેમ તેમ આપણને જણાય છે કે, તે અતિ ચતુર અને દૂરદર્શી છે. તેનું હૃદય દેખાવમાં ખડક જેવું કઠોર દેખાય છે પણ અંદર પ્રેમ કરે છે, એમ બારીક દૃષ્ટિએ જોતાં ઘણી વખત જણાય છે. હા, એકાદ વખત તેનામાં ભૂત ભરાય છે ત્યારે ભૂકંપ, તેફાન, જવાળામુખીને ફેટ વગેરે પ્રકારનું નૃત્ય તે કરી મૂકે છે અને પુષ્કળ હાનિ કરે છે, શહેરનાં શહેરો ઉજજડ કરી દે છે એ ખરું છે. આ કારણથી તેની તથા આપણી વચ્ચેનું દૈત અપરિહાર્ય છે; પણ એમાંયે કંઈ ગૂઢાર્થ કેમ નહિ હોય? નાના બાળકને કાવ્યના લાંબા લાંબા સમાસ કઠિન લાગે છે અને તેને મર્મ તેના ધ્યાનમાં આવતો નથી; પણ જ્યારે તે ઉંમરે પહોંચ્યા પછી વાંચે છે ત્યારે એ જ સમાસ કેટલો અર્થપૂર્ણ માર્મિક અને સુંદર છે તે તેના લક્ષમાં આવે છે. એ જ રીતે
જ્યાં સુધી આપણે અલ્પજ્ઞ છીએ ત્યાં સુધી આપણને સૃષ્ટિગ્રંથ કઠિન, નીરસ, નિરર્થક અને સંતાપજનક લાગશે, પણ જે વખતે આપણને સર્વ સૃષ્ટિગ્રંથ વાંચવા મળશે અને તે પ્રચંડ ગ્રંથના પ્રત્યેક પ્રકરણને, વાક્યનો અને શબ્દનો ક્યાં કેવો સંબંધ છે તે સમજાશે, ત્યારે એ ગ્રંથ કાવ્ય જે મધુર કેમ નહિ લાગે ? રાવણ જેવાને સ્થાન આપનારી સૃષ્ટિ આજે આપણને ચમત્કારિક લાગે છે અને તેના ભયંકર કૃત્યને અર્થ સમજાતો નથી, પણ ઘેર પરાક્રમી રાવણનો ધર્મનિષ્ઠ રામે પરાભવ કર્યો અને જગતમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું એ હકીકત વાંચવાનો સુપ્રસંગ આવ્યા પછી પહેલાં રાવણના ઘોર પરાક્રમનું જે વર્ણન વાંચતી વખતે અંગ કંપી ઊઠતું હતું તેને આનંદ રોમાંચનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે કે નહિ? ઠીક, શેકસપિયરના નાટકની માફક સૃષ્ટિનો ગ્રંથ કેટલેક સ્થળે બીભત્સ છે એમ ઘડીભર માની લઈએ તે પણ શું? બીભત્સ વાક્ય કાઢી નાખી મધુર ભાગની શેક્સપિયરની નવી આવૃત્તિ કાઢી શકાતી નથી કે સૃષ્ટિને ગ્રંથ પ્રચંડ છે, આરંભમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org