________________
૨૧
1. પૂર્વકથન જ્યોતિષશાસ્ત્રની માફક જ નીતિશાસ્ત્રમાં પણ વર્ણનાત્મક, વર્ગીકરણાત્મક અને તત્ત્વવિવરણાત્મક એ ત્રણ અંગ છે. મનુષ્ય કઈ કઈ પ્રેરણાથી કર્મમાં પ્રવૃત્ત થાય છે તેનું વર્ણન, ભિન્ન ભિન્ન પ્રસંગેએ એક જ મનુષ્યના જે નિંદા-પ્રશંસાત્મક નીતિનિર્ણય હોય છે તેનું વર્ણન; ભિન્ન વયને અથવા ભિન્ન દેશમાં અથવા પરિસ્થિતિમાં ઊછરેલા માણસના જે કિંચિત ભિન્ન નીતિનિર્ણય હાય છે તેનું વર્ણન; મનુષ્યમાં કયા મનોવિકાર હોય છે, તેને કેવા મોહ હોય છે વગેરેનું વર્ણન, એ અને એવા જ પ્રકારનાં વર્ણનો નીતિશાસ્ત્રમાં અંતભૂત થવાં જોઈએ. પણ એવા પ્રકારની માહિતી સાધારણ સુસંસ્કૃત માણસને કહેવાની વિશેષ જરૂર જણાતી નહિ હોવાથી, નીતિશાસ્ત્રવિષયક ગ્રંથોમાં આ વિશાળ વર્ણનનું અંગ અતિ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. એ પછીનું કામ કહીએ તે વગીકરણનું છે. મનુષ્ય કર્મ કરે છે તે સહજણૂર્તિએ ( Instinct) કરેલું હોય છે અથવા ટેવથી અબુદ્ધિપુર:સર બની આવે છે અથવા વિચારપૂર્વક થયેલું હોય છે, મનુષ્યના આત્માનાં, ભાવના ( Feeling), જ્ઞાન (Knowing ), અને કર્મ પ્રવૃત્તિ (Conation) એવાં ત્રણ અંગ છે; મનુષ્ય કદી સ્વમુખેચ્છા, કદી પરસુખેચ્છા, કદી સ્વહિતેચ્છા, કદી આત્મપ્રસન્નતાની ઇચ્છા તે કદી બીજી કોઈ ઈચછાને આધીન હોય છે; મનુષ્ય જ્યારે નિંદા કે પ્રશંસા કરે છે ત્યારે તે કદી સૌંદર્યની કસોટી લગાડી કરે છે તે કદી તેને સત્યની કસેટીમાં મૂકી કરે છે, કદી સાધુત્વની દષ્ટિએ તો કદી ઉપયુક્તતાની દષ્ટિએ અને પુનઃ એકાદ વખત કદી અન્ય કોઈ દષ્ટિએ કરે છે; સાધુત્વની દષ્ટિએ કરેલી નિંદાપ્રશંસા કદી બુદ્ધિપુર સર કરેલા કર્મ વિષે હોય છે, તે કદી પ્રેરણું આપનાર બુદ્ધિ વિષે હોય છે, અને કેટલીક વખત કર્મફળવિયક હોય છે; આ અને એવી જ બાબતનું, તેનાં અંગેનું અને ઉપાંગેનું વર્ણન કરવું, તેમાંના પ્રત્યેક પ્રકારના સાધમ્ય તથા વૈધમ્ય, ગુણ અને દેષ ઇત્યાદિને ઊહાપોહ કરે તથા તેને અનુસરી નીતિવિષયક વાતોનું ગ્ય વર્ગીકરણ કરી તેની સુવ્યવસ્થિત રચના અથવા ગોઠવણી કરવી, એ નીતિશાસ્ત્રનું વગ કરણાત્મક કાર્ય છે. પરંતુ એટલું જ કાર્ય કરવાથી નીતિશાસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org