________________
કે
નીતિશાસ્ત્રપ્રવેશ વાતોની ગૂંચવણ જણાઈ આવે છે, ત્યાં વર્ગીકરણ કરી તેને કાર્ય કારણ ભાવ, અર્થ અને તત્વ જોઈ ગૂંચવણ એ ખરેખર ગૂંચવણ ન હોઈ અજ્ઞાનપણાથી સુવ્યવસ્થાને આપણે ગૂંચવણ – ગોટાળે સમજીએ છીએ, એમ બતાવી આપવું આકાશમાં અનંત તારા જણાય છે, તેમાંના કેટલાક આજે અહીં તે કાલે તહીં દેખાય છે, કેટલાક આજે જણાય છે તે ચાર મહિને અદશ્ય થાય છે, કેટલાક આજે દૂર દેખાય છે તે કાલે નજીક દેખાય છે. આજે નાના દેખાય છે તે કાલે મેટા દેખાય છે, વગેરે પ્રકારની ગૂંચવણ યા તે ગોટાળો આપણી નજરે લાગે છે; પણ જ્યોતિષશાસ્ત્રો સ્થિર તારા, નક્ષત્ર, ગ્રહોની ચોતરફ ફરનાર ચંદ્ર (Satellites ) વગેરે પ્રકારનું વર્ગીકરણ કરી, તેની ભિન્ન ભિન્ન પ્રકારની દેખાતી ગતિમાં પણ કંઈ નિયમિતપણું હેતાનું બતાવી આપે છે, પરંતુ એટલાથી જ્યોતિષશાસ્ત્રનું કામ ચાલી શકતું નથી. અમુક તારા અમુક સ્થળે અમુક દિવસે આવે છે, ચંદ્રની પૃથ્વી પ્રદક્ષિણા અમુક દિવસમાં પૂરી થાય છે, પૃથ્વીની પ્રદક્ષિણા અમુક દિવસે પૂર્ણ થાય છે, સૂર્ય તરફ દૂરબીનમાંથી જોતાં અમુક રંગના અને અમુક પ્રકારના થર જણાય છે. ગુરુ તરફ દૂરબીન લગાડી તેનાં કિરણોનું વિશિષ્ટ યંત્રથી પૃથકકરણ કરતાં અમુક રંગ અમુક ક્રમે જણાય છે વગેરે પ્રકારનું સાંગોપાંગ વર્ણન આપવાથી જેતપશાસ્ત્રને પૂર્ણ રીતે શાસ્ત્ર પ્રાપ્ત થતું નથી. આ સર્વ માહિતી એ શાસ્ત્રની દેવડી છે, દેવાલય નથી. ચંદ્ર અમુક દિશાઓ અને વેગથી કેમ ફરે છે, નક્ષત્ર અમુક સ્થળે અમુક સમયે કેમ આવે છે, તારા એક બીજા સાથે અથડાઈ પડતા કેમ નથી, લેશમાત્ર પણ માર્ગફેર કેમ થતું નથી, અમુક તારાનાં કિરણના અમુક રંગ અમુક ક્રમે જ કેમ જણાય છે, વગેરે બાબતોને કાર્યકારણાત્મક સંબંધ દર્શાવી આપો અને નિર્ગણની ગતિમ, સ્કિલ્યન્તરમાં, રંગમાં, રૂપાંતર વગેરેમાં ત્ય, સુસંગત, કાર્યકારણભાવથી બદ્ધ નિયમિતપણું છે, તે બતાવી આપવું એ શાસ્ત્રનું પરણત સ્વરૂપ છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શેાધી કાઢ્યો ત્યારથી એ શાસ્ત્રને આ સ્વરૂપ ઝપાટાબંધ પ્રાપ્ત થતું ગયું; ત્યાંસુધી તે વગીકરણાત્મક સ્થિતિમાં જ રખડી રહ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org