SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વકથન નૈતિક શરીરનાં, એટલે Moral System નાં તે ભિન્ન ભિન્ન પણ અન્ય સંબંધયુક્ત એવાં અંગ છે – એમ દર્શાવી આપવાનો આ માર્ગનો પ્રયત્ન છે. એ પ્રયત્નને જેટલે આધક યશ મળશે તેટલું તેને અધિક શાસ્ત્ર પ્રાપ્ત થશે. હાલનું નીતિશાસ્ત્ર અડ દષ્ટિએ પૂર્ણ પણે યશસ્વી બનેલું નથી; તે પણ આપણું નૈતિક વિચાર વિખ્ખલિત નથી, કિંવા જુલમથી કોઈએ આપેલા નથી, કિંવા પદ્ધતિ કે રીત કે તત્વને વિચાર કર્યા વિના કેઈએ આપણું મનમાં ઘુસાડી દીધેલા નથી, તે એક સુસંગત અને સુરમ્ય પદ્ધતિના અવયવરૂપ છે, તે વિવેકને રૂચે તેવા છે, તે કઈ પણ સમજુ માણસ સ્વખુશીથી માન્ય કરે તેવા છે, એમ. બતાવવામાં નીતિશાસ્ત્રને ઘણે યશ મળ્યો છે. એમાં કંઈ જ શંકા નથી. ઉપર કહ્યું જ છે કે નીતિશાસ્ત્રનો વિષય એ જ છે કે, મનુષ્યના મનમાં હરેક પ્રસંગે ઉદ્ભવતા નિંદા-પ્રશંસાત્મક પ્રશ્નોને નૈતિક વિચાર કરવો. આ વિચારોનું 1. વર્ણન, ૨. વગીકરણ અને ૩. તેમને પરસ્પર સંબંધ દર્શાવી તથા સુસંગત કરી તેમને કાર્યકારણ સંબંધ કે છે, તેમને અર્થ શું છે, તેમનોમાં તત્ત્વ શાં છે એનું વિવરણ કરવું એ નીતિશાસ્ત્રનું કાર્ય છે. કઈ પણ શાસ્ત્ર જુઓ, તેનાં ૧. વર્ણનાત્મક, ૨. વર્ગીકરણાત્મક અને ૩. સુસંગતઅર્થ-વિવરણાત્મક એવાં ત્રણ અંગ હોય છે. દાખલા તરીકે, તિષશાસ્ત્રમાં પ્રથમ ભિન્ન ભિન્ન તારોનું કિવા તારકપુજનું, તેની ભિન્ન દિશાનું અને ઝડપની ગતિનું, દૂરબીનમાંથી નજરે પડતા તેના ભિન્ન રંગનું અને આકારનું યથાતથ્ય વર્ણન કરવાનો પ્રયત્ન કરેલું હોય છે. સામાન્ય લેકેનું જ્ઞાન અસ્પષ્ટ, સંદિગ્ધ, સ્કૂલ અને કેટલીક વાર ભૂલ ભરેલું હોય છે; પણ શાસ્ત્રનું વર્ણન સ્પષ્ટ, અસંદિગ્ધ, સૂક્ષ્મ અને યથાતથ્ય હોય છે. આવા પ્રકારનું કેવળ યથાતથ્ય વર્ણન આપવાથી શાસ્ત્રને શાસ્ત્રત્વ પ્રાપ્ત થતું નથી. વર્ણવેલા વિષયનું સૂક્ષ્મ તથા યથાતથ્ય વર્ણન આપી તેમાં જણાઈ આવતું મહત્ત્વનું સામ્ય-વૈષમ્ય શા બતાવવું જોઈએ અને તે બાબતેનું બોધપ્રદ તથા સરળ વધીકરણ કરવું જોઈએ. શાસ્ત્રનું કામ એ જ છે કે, સામાન્ય માણસની દૃષ્ટિએ જ્યાં અનંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy