________________
વૈત અને અદ્વૈત એટલાં વધી ગયાં હોત કે માણસને જીવવાનું મુશ્કેલ બન્યું હોત. પૂર્વે માણસ પાસે બંદૂકે ન હતી અને તલવારે ન હતી. એવા સમયે સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ પશુનો સંહાર ચલાવ્યો હતો. તેથી જ મનુષ્ય તેમના તડાકામાંથી બચી ગયાં છે. હા, વાઘ, સિંહ કોઈક વખત માણસને પણ ફાડી ખાય છે એ ખરું છે, પણ એકંદરે એમ કહેવાનો હરકત નથી કે તેમનાથી માણસ જાતને ફાયદો થયો છે.
દુ:ખ, પાપ વગેરેનો ઉપયોગ માનવ સમાજનાં અન્યાય અને પાપ, નિધણતા, દુઃખ, સંકટ વગેરે જોઈ મનુષ્ય એવો પ્રશ્ન કરે છે કે “આવું જગત કોણે શા માટે ઉત્પન્ન કર્યું?” ઉક્ત પ્રકાર જોઈ તે ગભરાઈ જાય છે અને કોઈ વખત ભયભીત બને છે. શું આ પાપી જગત પ્રભુએ જ નિર્માણ કર્યું છે... જગતનાં આ દુઃખ “જગદાત્માને, પ્રિય છે કે? સાધુસંતો પર તૂટી પડતાં સંકટ ભક્તવત્સલ પ્રભુ એક ક્ષણભર પણ કેમ જોઈ શકે છે ? માતા અને બાળકને ઈશ્વર વિખૂટાં કેમ પાડી દે છે ? આખા રાષ્ટ્રની આર્થિક અવનતિ તો ઠીક છે, પણ પારમાર્થિક કે નૈતિક અવનતિ તેને કેમ એ છે?” આ પ્રશ્નો માણસથી ઉકલતા નથી અને તેથી જ તેને જગત પિતાનું લાગતું નથી. જગતના વિસ્તીર્ણ દરબારમાં તેને બધું પરકીય જેવું અને ભૂલા પડ્યા જેવું લાગે છે. આ દ્વૈત પણ જ્ઞાન અને નીતિનો વિકાસ થયા પછી છું થવા લાગે છે. શાળામાં જતા બાળકને સોટી ચમચમ વાગે છે, પણ મોટા થયા પછી તે જ પિતાના માસ્તરને આશીર્વાદ આપે છે. એવું જ જગતનાં કેટલાંક દુઃખ વિષે છે. માણસને ઠંડા પવનથી દુઃખ થાય છે તેથી જ ઘર બાંધવાની
છા થઈ અને એ કળાને વિકાસ થયો. માણસના મુખમાં આપ આપ કેળિ પડતો નથી, તેથી જ ખેતી, બાગાયત વગેરેની દિનપ્રતિદિન પ્રગતિ થાય છે. વ્યભિચાર, વેશ્યાગમન વગેરે પાપ હસતાં હસતા કર્યા પછી પરિણામે રડવું પડે છે એ સારું છે, નહિ તે માણસે કોણ, જાણે શુંયે કરી નાખ્યું હોત! ઉપદંશના રોગને આપણે ખરાબ તે કહીએ છીએ, પણ તેના ભયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org