SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ એમ આજીજીપૂર્વક કહી, દેવેશ, તમારું ખરું સ્વરૂપ શું અને તમે આ શું કરવાને પ્રવૃત્ત થયા છે ?' आख्याहि मे को भवानुग्ररूपो नमोस्तु ते देववर प्रसीद । विज्ञातुमिच्छामि भवंतमाद्यं नहि प्रजानामि तव प्रवृत्तिम् ॥ એવી પ્રાર્થના કરવા લાગ્યો. - સૃષ્ટિની પ્રવૃત્તિ શી છે તે આપણને સમજાતું નથી અને તેનો વિચાર કરવા માંડીએ છીએ તે આપણે પણ અર્જુનની માફક ગભરાઈ જઈએ છીએ. લોકોનો આટલો સંહાર કણ શા માટે કરે છે? સૃષ્ટિનું તેજ કેટલું ભયંકર છે, તેની શક્તિ કેટલી પ્રચંડ છે? પણ એ શક્તિ સર્વ વસ્તુમાત્રને, પ્રાણીને, બાળ-બચ્ચાને, ઋષિ, સાધુ-પુરુષોનો પણ સંહાર કરવાના કાર્યમાં જ કેમ વપરાય છે ? એનો અંત કોણ કવી રીતે લાવશે ? ભગવાન અર્જુનને કહે છે: कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो; लोकान्समाहर्तुमिह प्रवृत्तः ॥ લોકોને “સમાહાર” કરવા માટે હું પ્રવૃત્ત થયો છું, એવી ભગવાનની કબૂલાત સાંભળીને કોને સંતોષ થાય ? આ લોકક્ષય” – આ “લોકસંહાર' શાને માટે? “મારા ભક્તોને યોગક્ષેમ હું ચલાવું છું એવું કે તેમણે અભિવચન આપ્યું છે અને સાધુના પરિત્રાણાર્થે હું અવતાર લઉં છું' એવું તેમણે જે આશ્વાસન આપ્યું છે, તેની અને “લકનો સંહાર કરવા હું પ્રવૃત્ત થયેલો છું એની એકવાક્યતા શી રીતે કરવી? સાધુને ગક્ષેમ ચલાવી અને તેનું પરિત્રાણ કરી પુષ્ટ કરેલા પશુની માફક છેવટે તેનો સંહાર કરવામાં ઈશ્વરની કસાઈ જેવી સુક વ્યાપારી દષ્ટિ છે કે શું? કે પછી અન્ય કંઈ હેતુ છે કે એને ઉત્તર કોણ આપે છે ? અને એનો ઉત્તર મળતા સુધી સૃષ્ટિદેવ અને આપણી વચ્ચેનું દૈત કેવી રીતે નષ્ટ થશે ? સૃષ્ટિમાં અને આપણામાં આવું દૈત છે. તેની યોજના આપણને સમજાત નથી, ગમતી નથી, રુચતી નથી. તે કેટલીક વખત આપણને પરકીય જેવી અને કેટલીક વખત શત્રુ સમાન ભાસે છે. પુષ્કળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy