________________
૪૮૪
નીતિશાસ્ત્રમાવેશ સૃષ્ટિને સર્ષ, સિંહ, ગીધ, કાગડા, માંકણ, ચાંચડ વગેરેને આભડછેટ નથી. આપણે એ પ્રાણી અને કીટક જગતમાંથી નષ્ટ થાય તેમ ઈચ્છીએ છીએ. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિથી દેશમાં દુષ્કાળ પ્રવર્તી હાહાકાર થઈ રહે તે પણ સૃષ્ટિને તેની પરવા નથી. આપણે દુષ્કાળમાં થતી બેહાલ સ્થિતિ જોઈ શકતા નથી. સૃષ્ટિની યોજના એવી છે કે, એક પ્રાણી બીજાને ફસાવી મારી ખાઈ પિતે જીવે. મનુષ્ય કહે છે કે, “એ યોજના ઘાતકી અને અન્યાયી છે.' અચાનક જવાલામુખી ફાટીને કે ભૂકંપ થઈ શહેરનાં શહેર નાશ પામી હજારો માણસ મૃત્યુના મુખમાં પડે છે તોપણ સૃષ્ટિને તેની ફિકર નથી થતી. સૃષ્ટિને સજજન અને સર્વ સમાન જ હોય છે. સૃષ્ટિની યોજના એવી છે કે ભૂલથી સજનને પગ સર્પ પર પડે તો તેણે ખુશીથી કરડીને સજજનનો પ્રાણ લેવો. આપણે કહીએ છીએ કે આ કેવળ અન્યાય છે. સૃષ્ટિ કહે છે કે સર્વે પોતાનો જીવ કેમ ન બચાવો માણસ કહે છે, “ભલે બચાવે, પણ ભૂલથી પગ પડે તે માટે સાપ જીવા લેવા કેમ તત્પર થાય? એમાં નીતિ કે ન્યાયની ગંધ છે કે ?” સૃષ્ટિને માણસની યોજના, શ્રમ, પ્રયત્નની કંઈ દરકાર નથી. માણસ અથાગ શ્રમ લઈ મકાન તૈયાર કરે છે, પણ સૃષ્ટિ તેને સે વર્ષમાં તૂટી પડવાની સ્થિતિમાં લાવી મૂકે છે. ચિત્રકાર અતિ સુંદર ચિત્ર કાઢી રાખે છે, પણ સૃષ્ટિ સૂક્ષ્મ કૃમિકીટકને મોકલી તેને થોડા જ વર્ષોમાં નષ્ટ કરી દે છે. માણસ ખેતર ખેડીને ઉત્તમ બનાવે છે, વૃષ્ટિ થવા દઈ સૃષ્ટિ તેને થોડે વખત મદદ આપે છે, પાક સારો થાય છે, પણ એકાએક સૃષ્ટિ તરફથી તીડનું ટોળું આવે છે અને ખેતરમાં એક દાયે રહેતું નથી. એકાદ પ્રજાવત્સલ રાજા એકાદ ગામ વસાવે છે અને સૃષ્ટિદેવ એકાદ દિવસે તેને આગમાં હોમી દે છે !
સૃષ્ટિ કેવળ નિવ, જડ વસ્તુને જ સંહાર કરીને અટકતી નથી, માણસના પ્રાણની પણ તેને ક્યાં દરકાર છે? પ્રાણની નહિ તો નહિ, પણ માણસે સંપાદન કરેલા જ્ઞાનનું મહત્ત્વ તો તેણે જાણવું જોઈએ? પણ નહિ. માતાપિતા પિતાના જીવની ફિકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org