________________
૪૯
દ્વિત અને અદ્વૈત અતિ નિકટને હેાય છે, પણ તે હમેશને માટે હિતકારક જ હોય છે એમ કંઈ નથી હતું. જગતની અન્ય વસ્તુ સાથે પ્રભુએ મને લગ્નગ્રંથીથી બાંધેલ છે, તે મારા માટે શ્રેયસ્કર છે, મારે તેની સાથે છૂટાછેડા કરવાની ઈચ્છા રાખવી ન જોઈએ એવી ખાતરી થયા સિવાય મારા મનને ખળભળાટ શાંત થઈ શકે નહિ. જગત છે તેવું જ હોવું જાઈએ, એમ જ્યારે મને લાગશે ત્યારે જ મારા મનનું સમાધાન થશે. ત્યાં સુધી “સર્વ વસ્તુને અને તારો અન્યાશ્રયનો સંબંધ છે” એ કથન પિલું, અરે સંતાજનક જ બનશે.
આપણી હાલની દષ્ટિએ આ અદ્વૈતને અનુભવ થતો નથી એમ પ્રત્યેક સમજી શકે તેમ છે. સૃષ્ટિને કર્તા હમણાં તે આપણો હોય એમ લાગતું નથી. તે પરકીય હોય એમ જ જણાય છે. તેની યોજના આપણને ગમતી નથી.
(૪) આ સંબંધમાં કોઈ કહેશે કે, “એમ સંતાપ શા માટે કરે છે? ચિત્ત સ્થિર કરશો એટલે તમને જણાશે કે જે જગતમાં તમે છે તે ઉત્તમ જ છે. પ્રભુની ઈચ્છા એવી નથી કે, તમારું અકલ્યાણ થાય; તમને આજે જે સંબંધ અપ્રિય લાગે છે તે જ તમારા હિતનો છે એમ તમને વિચારતે જણાશે. કેટલીક વસ્તુઓ તમારી ઇન્દ્રિયોને અપ્રિય હોય તેટલા જ પરથી તે નકામી કરતી નથી. તમે તમારા આત્માને પૂછી જોશો તે તમને જગતમાં કૅત અને વૈષમ્ય નહિ જણાય. શું તમારો આત્મા અને ઈશ્વર ભિન્ન છે? જીવ શિવનું ઐકય છે. જીવ જ્યારે ઇયિસ્વરૂપ બને છે, “દેહ” એ જ પિતે છે એમ કહે છે ત્યારે જગત તેને અપૂર્ણ, દુઃખમય, કૂર અને કુરૂપ લાગે છે, પણ શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી આત્માનો પરિચય થાય છે એટલે Áત આપોઆપ નાશ પામે છે. કારણ તે વખતે એવો અનુભવ થાય છે કે, જગતને આત્મા અને આપણો અંતરાત્મા એક જ છે, ઉભયને તે જ વાત પ્રિય અને વંઘ છે.”
આત્મપ્રાપ્તિ થયા પછી શું થશે ને શું નહિ એ પ્રશ્ન જાદો છે. હાલમાં આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં જીવ શિવનું ઐક્ય શું છે તે જોઈશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org