________________
૪૦ર
નીતિશાસ્ત્ર પ્રવેશ પૂર્ણ સમાધાન થતું નથી. ૧. “સર્વના પરમાણુ એક છે' ૨.
સર્વ વાતને અતિ નિકટ એવો પરસ્પર સંબંધ છે' એ બને ઉત્તર “આ પ્રેમમય, વિરહમય, દુઃખમય, પાપમય જગતને અર્થ શું ?” એવો પ્રશ્ન કરનારને શાંતિ આપી શકતા નથી. સર્વને પરસ્પર સંબંધ હોય છે માટે તે પ્રિય કિવા પણ
કિંવા ઇષ્ટ હેય છે એમ કંઈ નથી કારણ સ્પષ્ટ છે. સર્વનો પરસ્પર સંબંધ છે એવું નિશ્ચિત થાય છે, પણ એ સંબંધ સર્વને પ્રિય કિંવા હિતકારક છે કે નહિ એ પ્રશ્ન બાકી જ રહે છે. મારી પથારીમાં રહેલા માંકણને અને મારે અત્યંત નિકટનો સંબંધ છે એ હું કબૂલ કરું પણ એ સંબંધ સુસંબંધ છે એમ તો ન જ સ્વીકારી શકું. બીજું એ કે, જગતના સર્વ દેશનું કિંવા માણસનું કેટલીક બાબતોમાં જેટલું ઐક્ય હોવું જોઈએ એમ આપણને લાગે છે તેટલું જણાઈ આવતું નથી. આપણી ઈચ્છા એવી છે કે, જે દેશમાં જે માલ ઉત્તમ અને સસ્તો ઉત્પન્ન થતો હોય તે દેશમાંથી અન્ય દેશોએ મેળવવા અને એવી રીતે મૈત્રીની આપ લે થઈ જગતની સુખસમૃદ્ધિમાં વધારે થે જોઈએ; પણ દેશ દેશ વચ્ચે વૈમનસ્ય હોવાથી સર્વને હિતકારક બનનારે અન્યોન્યાશ્રય સંબંધ આચારમાં આવતું નથી. દરેક દેશ કહે છે કે, બીજા દેશમાં અમુક માલ સસ્ત બનતો હોય તો પણ તે અમે લઈશું નહિ. *
જગતનાં અન્ય સર્વ મનુષ્ય અને મારે અન્ય સંબંધ છે એ સિદ્ધ થતું હોય તો પણ એ અન્યોન્યાશ્રય મને ઠીક લાગતો ન હોય તો મારું સમાધાન શી રીતે થશે? એક રીતે એક બીજાની છાતી પર ચઢી બેસવા ઈચ્છતા યોદ્ધાઓનું જીવન એકબીજા પર અવલંબી રહેલું હોય છે, પણ પ્રત્યેક બીજાને પ્રાણ લેવાને તલપી રહેલે હોય છે! લગ્નગ્રંથીથી જોડાયેલો સંબંધ
* હાલની પરિસ્થિતિમાં આ વૃત્તિ ખરાબ નથી, અરે આવશ્યક છે. પણ એ મુદ્દો જુદે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org