________________
દ્વૈત અને અદ્વૈત રહે. આ તત્ત્વથી સ્વાથી જનેની આંખો પણ ઊઘડશે. કેટલાક મૂડીવાળા કારખાનદારને લાગે છે કે, મજૂરોનું ગમે તે થાઓ, તેમની પ્રત્યે અમારે કંઈ જોવાનું નથી. પરંતુ અનુભવ કહે છે કે જે મજૂર અશક્ત, રોગી, અપ્રમાણિક કે ભૂલણિયા બને છે તો છેવટે કારખાનદારને જ નુકસાન થાય છે. પડોશીના આંગણામાં કચરો નાખનારને લાગે કે પડોશીનાં છોકરાં અશક્ત થાય, માંદાં પડે કે મારે તેમાં મારે શું ? પણ ગંદકી કરવાથી તે પડોશીના ઘરમાં પલેગ થાય છે અને તે ત્યાંથી તેના ઘરમાં પ્રવેશ કરે છે તો તેના કર્મનું ફળ તેને આ જન્મમાં જ મળે છે ! આવી એક નહિ પણ હજારે વાત છે. કેટલાક માણસ કહે છે કે, આખા દેશની અમને શી પડી છે? અમે તો અમારા કુટુંબનું જોઈ લઈશું, પણ પિતાના દેશની સામાજિક, સાંપત્તિક વગેરે સ્થિતિ કેવી છે એ વિષે જે દેશના લોકે ફિકર કરતા નથી તે દેશના લોકોને અંતે સ્વાર્થવૃત્તિનું ફળ ભોગવવું જ પડે છે !
સ્વામી રામતીર્થ
સ્વામી રામતીર્થે એક સ્થાને કહ્યું છે કે, આપણે અન્યને પરકીય સમજીએ છીએ, પણ વાસ્તવિક રીતે જોતાં એ ભ્રમ છે. મારી પાસે બેઠેલે છોકરે જે શ્વાસ બહાર કાઢે છે, તેમને કેટલાક અંશ મારા પેટમાં જાય છે અને આખા જગતમાં એ વ્યાપાર અખલિત રીતે ચાલ્યા કરે છે. શ્વાસમાં કેટલાયે સૂક્ષ્મ જંતુ હોય છે. એ જંતુ આપણા પેટમાંથી અન્યના પેટમાં, ત્યાંથી ત્રીજાના, ત્યાંથી ચોથાના એ રીતે સ્થળાંતર પામ્યા જ કરે છે. એમાંના એકાનો જંતુ રોગી હોય છે. તે પછી સર્વ પિળ, ગામ, જિલ્લા અને કોઈક વખત આ દેશ પણ રોગના સપાટામાં આવી જાય છે. માણસ માણસ વચ્ચે આટલો બધો નજીકને સંબંધ હોવા છતાં માણસ માને છે કે અન્ય અને આપણી વચ્ચે Áત છે. આથી સ્વામી રામતીર્થને આશ્ચર્ય થાય છે અને તે બરાબર પણ છે; પરંતુ તેમણે આ રીતે જે અદ્વૈત સિદ્ધ કર્યું છે તેથી તાવિક દષ્ટિએ માણસના મનનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org