SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ ઈશ્વરનું ક્રીડાગ્રહ અથવા લીલાગૃહ છે કે કસાઈખાનું છે? છે શું?” આપણું તત્ત્વવેત્તાઓનો આવો પ્રશ્ન હોય છે. એ પ્રશ્નના ઉત્તરમાં જગતની સર્વ વસ્તુનાં પરમાણુ એક છે એમ કહેવું એ પ્રથમથી સંસારતપ્ત થયેલા માણસના માનસિક ઘા પર મીઠું છાંટવા જેવું છે. “જગતનો અર્થ શું ?' એ પ્રશ્નના ઉત્તરમાં જગતનું ઉપાદાન કારણ અમુક છે' એમ કહી શકાય નહિ, એટલું પણ કેટલાકને સમજાતું નથી એ ખેદની વાત છે. અને ન્યાય (૩) કેટલાક જગત એક છે એટલે જગતમાં સંબદ્ધતા અથવા અન્યોન્યાશ્રય છે એ અર્થ કરે છે, તે વિચાર કરવા જેવો છે. તંતુ અનેક રંગના અનેક પ્રકારના હોવા છતાં જેમ પટ એક છે એમ આપણે કહીએ છીએ તે પ્રમાણે જ જગત અનંત પ્રકારની વસ્તુથી જે કે ભરેલું હોય પણ તેમાં સંબદ્ધતા હોવાથી તે ‘એક’ છે એમ કહેવાનો હરકત નથી. જગતની પ્રત્યેક વસ્તુનો અન્ય પદાર્થ સાથે સંબંધ છે. કઈ પણ વસ્તુ તરફ દષ્ટિ કરે. દાખલા તરીકે સમીપની માટીને કણ લે. એ કણનો અને સર્વ જગતને અત્યંત નિકટ સંબંધ છે. ક્ષણભર એવી કલ્પના કરવામાં આવે કે એ કણ નષ્ટ થયું છે તે સર્વ જગતમાં પરિવર્તન થશે. તે કણ નષ્ટ થવાથી તેને પ્રમાણમાં જગતનું વજન ઘટી જશે નહિ કે? અહીંથી ઉઠાવીને તે કણ ત્યાં ગોઠવવામાં આવે તે પણ જગતના ગુરુત્વાકર્ષણનું મધ્યબિંદુ કિંચિત પણ સ્થાનભ્રષ્ટ થશે અને એની પરંપરાથી કેટલે દૂર સુધી કેવું ભલું કે ભૂંડું પરિણામ આવશે તે કેણ કહી શકે તેમ છે ? અસ્તુ. આપણે અન્યને કોઈ વખત કહીએ છીએ કે “તારો અને મારે કંઈ જ સંબંધ નથી; પણ શબ્દશઃ અર્થ કરીએ તો એ વાત ખોટી ઠરે છે. કારણ, અન્ય કંઈ સંબંધ નથી એમ કહીએ છતાં તેનામાં અને આપણામાં ગુરુત્વાકર્ષણનો સંબંધ હોય છે. વળી તે અને આપણે એક જ ભૂમિ પર નિવાસ કરીએ છીએ, તેના શ્વાસથી જ હવા થોડી ઘણી બગડે છે અને તે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy