________________
નીતિશાસ્ત્ર પ્રવેશ વિસંગતિ, વિરોધ એ બધું અપૂર્ણ દૃષ્ટિને જ દેખાય છે. જગતનું ખરું તત્ત્વ (આપણો બ્રહ્મ) એક અને અનંત હોવાનું મને સમજાયું. એક ક્ષણમાં મને સર્વ વસ્તુને સૂક્ષ્મ તાર્કિક સંબંધ સ્પષ્ટ જણાવા લાગે. આપણે સામાન્યતઃ જેને જ્ઞાન કહીએ છીએ તે આ સુક્ષ્મ, સર્વવ્યાપી જ્ઞાનના પ્રમાણમાં કંઈ જ નથી એમ કહેવું જોઈએ. દેવ–સેતાન, સારું-નરસું, જીવવું–મરવું, હું–તું, મત-અમત, શુભ્ર-કૃષ્ણ વગેરે સર્વ ભેદ તે ક્ષણે નષ્ટ થયા અને તે તાત્વિક દિવ્ય દૃષ્ટિની પળમાં ( Moment of Metaphysical illumination) સર્વ શરીરમાં એક પ્રકારનો અતિશય અને અનિર્વચનીય આનંદ વ્યાપી રહ્યો
વિલિયમ જેમ્સ કહે છે કે આ પ્રયોગ જોખમકારક નથી અને કોઈ પણ માણસ એવા પ્રકારો અનુભવ મેળવી શકે તેમ છે. આનો અર્થ તો એ જ થાય છે કે, બ્રહ્માનંદનો અનુભવ યમનિયમનો શ્રમ લીધા વગર ગેમની એક બાટલીની મદદથી મેળવીને તે આનંદમાં રાજહંસની માફક ડોલી શકાય છે. એમ જ કહેવું જોઈએ કે આધુનિક શાસ્ત્રજ્ઞોએ પ્રવાસના, સંદેશ મોકલવાના અને વાયુગમનને મા સુલભ કર્યા છે તેમ બ્રહ્મપાને પણ કર્યો છે. ઠીક છે, પણ એ પ્રયોગ પરથી પ્રથમ કરેલા આક્ષેપને નિર્ણય થાય છે કે નહિ તે જોઇશું.
આક્ષેપ એ હતો કે, આપણું જ્ઞાન ભેદવિશિષ્ટ હોવાથી – બુદ્ધિ (Reason)નું મુખ્ય કાર્ય ભેટદર્શનનું હોવાથી – ભેદરહિત જ્ઞાન આપણી બુદ્ધિ માટે શક્ય છે કે? શક્ય હોય તે તત્ત્વદષ્ટિએ એ જ્ઞાનની શી કિંમત છે? જે સ્થિતિમાં દિકાલાદિ ભેદની પ્રતીતિ થતી નથી તે સ્થિતિ અને સુસ્કૃતિમાં ઘણું અંતર છે, એ વાત આ પ્રયોગ પરથી સિદ્ધ થાય છે. બુદ્ધિ પિતાનું કાર્ય કરવા લાગે એટલે તેને ભેદ અને વિરોધદર્શન થવું જ જોઈએ એ કથન આ પ્રયોગ પરથી ખોટું પડ્યું
* The Will to Believe " By William, James, p. 294 નાં વાક્યો આગળ પાછળ કરી સારાંશરૂપે ઉપર આપ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org