________________
પિતાને સ્વયંવર
૬૧ કરીએ છીએ તે આપણું ખરા ઉચ્ચતમ આત્માને પૂર્ણ રીતે સંમત કે પ્રિય નથી એ લાગણી આપણું મનના એક ખૂણામાં ભરાઈ રહેલી હોય છે! જે આત્મસંતુષ્ટ – આત્મરત – થાય છે તે પશુ હોવો જોઈએ વિા ખરેખર સ્થિતપ્રજ્ઞ, બ્રહ્મવેત્તા હોવો. જોઈએ. કોઈ આત્મસંતુષ્ટ ન હોય તે સાધારણ રીતે એ જ અર્થ સમજો કે, તેને ખરા આત્માને ખોટા આત્માના વેશ તથા ટૅગ પસંદ નથી.
આ સર્વ ખરું. પણ ખરા આત્માની પ્રાપ્તિ શી રીતે કરવી ? આત્મા જેટલી નજીકની વસ્તુ કઈ નહિ હોય, પણ આત્મપ્રાપ્તિ થેડાને જ લાધે છે. એક તો માણસ વારંવાર એય બદલતો હોય છે. હું કોણ હો જાઈએ ? એ સ્થિર નહિ હેવાથી “હું કાણુ” તે સમજાતું નથી. કોણ હોવા જોઈએ એ સ્થિર થવું એનું જ નામ આમલાભ છે. સાધારણ માણસને આજે સંસારને યથાસ્થત બનાવવાની ઇચ્છા થાય છે તો કાલે જુદી જ થાય છે, કદી દેશસેવા કરવાનું મન થાય છે તે કદી ઇંદ્રિયપૂજા પસંદ પડે છે, કદી બાળબચ્ચાની સંભાળ કર્તાવ્યરૂપ લાગે છે તે કદી તે બધુંયે ધૂળભેગું થાય તે હરકત નહિ પણ પરમાર્થપ્રાપ્તિની ઈચ્છા પ્રબળ બને છે. જે ક્ષણે જે ઇચ્છા પ્રબળ થાય છે, તે વખતે તેની રમત અસંતુષ્ટ પ્રેક્ષકની માફક જોઈને આત્માને બેસી રહેવું પડે છે. હૃદયની રંગભૂમિ પર નાચનારે ઘડીભરને રાજ હું જ હૃદયને ખરો રાજ, સખા અને યજમાન છું એમ કહે છે; પણ જે કે દેહબદ્ધ હશે તદપિ તે દમયંતીની માફક ઘડીવારના ઢોંગી રાજને માળા આપને નથી અને મારો ખરો પ્રાણજીવન જુદો જ છે” એમ કહી તે ક્યારે આવીને ખરા સ્વરૂપમાં ભેટશે તેની માર્ગ પ્રતીક્ષા કરતા હોય છે.
કોઈ કહે છે કે, પુષ્કળ વિદ્યા મેળવવાથી આત્માને વરી શકાશે, કોઈ કહે છે કે, બુદ્ધિમત્તા સિવાય એ ભાગ્ય પ્રાપ્ત થાય તેમ નથી; પણ ઉપનિષદકાર કહે છે –
नायमात्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन । यमेवेष वृणुते तेनैव लभ्यः तस्यैष आत्मा वृणुते तनूं स्वाम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org