________________
પિતાનો સ્વયંવર
૪૫૯ શોચનીય અવસ્થા થઈ હતી અને તેને જેમ “પ્રભુ, પગે પડું છું, ખોળો પાથરું છું, ખરો નળ કયે તે કૃપા કરીને કહે, એવી આજીજીપૂર્વક વિનવણી કરવી પડી હતી; તેવી જ પ્રત્યેક મનનશીલ સંસારી આત્માની રિથતિ થાય છે. મારો ખરો આત્મા કયો ? ખર ‘કેણુ? પેટ માટે નોકરી કરનારે હું ખરે કે સ્ત્રી માટે ઘરગથે વાત કરનારે “હું” ખરે, દેશભક્તિનાં વ્યાખ્યાન આપનાર “હું” ખરે કે મિત્રો સાથે ગપ્પાં હાંકનાર “હું” ખરો ? કે એ સર્વ માંનો કોઈ પણ “હું” ખરે નથી ? એ સર્વને વેશ જ કહેવા કે શું ? ત્યારે, ખરો “હું ક્યાં છે ? કહે, કોઈ પણ કહે !
રાવણ સીતાને સાગરપાર લઈ ગયો તેથી તે રામને તરત જડી નહિ, ઉર્વશી એક શાપના પ્રભાવથી લતા જ બની ગઈ તેથી પુરવાને મળી નહિ, પણ મારો આત્મા મને જ જડે નહિ એ નવાઈ જેવું નથી કે ? હું પોતે મને ઓળખું નહિ તો અન્ય કોણ ઓળખે ? પરકીય ? જો હું મને પિતાને ઓળખતો ન હોઉં. તે મારામાં અક્કલ જ નથી એમ કહેવું જોઈએ. ગ્રીક તત્ત્વવેત્તા સોક્રેટીસના know thyself નો ગુરુપદેશ કિંવા ગામ વારે મતવ્ય: પ્રોત: નિશ્ચિાલિતવ્ય: એ ઉપનિષદનો ઉપદેશ એક રીતે ચમકારક નથી જણાતો ? Know thyself! જાણે કે હું કાઈ પકીય પુરૂષ હાઉ અને મહાપ્રયાસે તેનું ઓળખાણ કરી લેવાનું હોય ! ઉપનિષદ કહે છે કે, આત્માનું ચિંતન કરે ! શા સારુ ? આપણે પોતે ચિંતન કરીએ તે કરતાં એજ લોકોનું ચિંતન કરે તો? સૃષ્ટસૌંદર્ય અવલોકે તે ? સતપુરુષોની કથાનું શ્રવણ કરતો બેસી રહે તે ? આત્મચિંતન કરવામાં શું લાભ છે? વળી વિચાર કરી જોઈએ તે “હું હું એ કોણ છે? અન્ય પદાથોને– અનાત્માને--અત્યંતભાવ કેપીએ તો આત્માનો પણ અભાવ સિદ્ધ થાય છે. કારણ અન્ય પદાર્થ કિંવા ગુણના અભાવે તમે આત્માને કર્યું વિશેષણ અને કયું ક્રિયાપદ લગાડશો ? બહુ તે એટલું કહેવાશે કે અનાત્માના અભાવે આત્મા છે; પણ શું છે, કેવો છે તે કંઈ કહી શકાશે નહિ. પછી “આત્મા” છે એવા કેવળ અસ્તિત્વદર્શક વિધાનમાં શો અર્થ છે ? કહેવાને ભાવ એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org