________________
૪૫૬
નીતિશાસ્ત્ર પ્રવેશ શાસ્ત્રજ્ઞનું સત્ય સામાન્ય જનોને રુચશે ત્યારે જ તે તેમની ભાષાના સત્ય” શબ્દને પાત્ર થશે.
એકંદરે એ નિર્ણય આવ્યો જણાય છે કે, જેને જે સમાધાનકારક, કાર્યોપયોગી લાગે તે તેણે પોતાને ઘેર વિના હરકતે સત્ય માનવું અને તે જે બહુજનસંમત” હોય તો ખુલ્લી રીતે તેને સત્ય કહેવું. આ નિર્ણયથી “સત્ય” નામની કોઈ એક સ્થિર, ત્રિકલાબાધિત નિરુપાધિક વસ્તુ છે અને તેનું પ્રતિબિબ કિવા સામ્ય જે વિચારમાં છે તે સત્ય એ કલ્પનાને હરતાળ વાગે છે. સત્ય સ્થિર અને અનાદિસિદ્ધ છે એમ નહિ, પણ તે ચળ અને કાલગતિએ વર્ધમાન થનારું છે. સત્યના મૂલભૂત પ્રમાણ પરથી અનુભવની યોગ્યતા કરાવવાની નથી પણ અનુભવના પ્રમાણથી સત્ય જણાતી ક૯૫નાની યોગ્યતા કરાવવાની છે. સત્ય ઉપયુક્ત છે એમ નહિ પણ ઉપયુક્ત તે સત્ય છે. સત્યથી મનનું સમાધાન થાય છે એમ નહિ પણ જેનાથી મન સમાધાન પામે છે તે સત્ય. સત્યથી કાર્યને ઓછોવત્ત મહિમા કરે છે એમ નહિ પણ ઓછાવત્તા કાર્યમહિમાને અનુસરી સત્યત્વ ઠરે છે. સત્ય સાધ્ય નથી પણ સાધન છે. સત્ય સર્વ જનસંમત હેવું જ જોઈએ એમ નહિ પણ વ્યક્તિ તેટલી પ્રકૃતિના ન્યાયે પ્રત્યેક વ્યક્તિનું સત્ય ભિન્ન બનશે એવી વિપરીત કલ્પના આપણે સ્થાપિત કરેલા સત્યના વિલક્ષણ લક્ષણથી કબૂલ કરવાની ફરજ પડે છે. પણ તેનો ઉપાય છે ? સત્યનું બીજું શું લક્ષણ હોય? કઈ વાતને ખરી માનવાથી આપણા મનને અધિકમાં અધિક સંતેષ મળશે. સર્વેમાં આપણને શું વિશેષ ઉપયોગી થશે તે જોઈને જ આપણે સત્ય અસત્યતા ઠરાવવા ઈચ્છીએ છીએ ને? કે બીજું કોઈ સાધન છે ?
ઉક્ત વિવેચન જે બરોબર હોય તે “ો મત સત્ય એ પ્રશ્નનું રૂપાંતર “કો મત કીમતી” એવું થાય છે. પ્રભુ છે, એ મત ખરે કે પ્રભુ નથી એ મત ખરે વગેરે પ્રશ્નો માટે * પ્રભુ છે એ મત કલ્યાણપ્રદ અને સમાધાનકારક છે, કે પ્રભુ નથી એ મત?”—એવા પ્રકારનાં કિંચિત ભિન્ન, વ્યાવહારિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org