________________
સત્ય સાધન કે સાથ?
૪૫૩ "ગ બળી જાય અને જીવનને નાશ થાય માટે અગ્નિને ઉષ્ણ સમજ એ જ “યથાર્થ' એટલે હિતકારક – ઉપયુક્ત છે. જયારે આવું છે ત્યારે જે જ્ઞાન હિતકારક, જીવનોપયોગી અને હિતપ્રદ છે તે સત્ય એવી વ્યાખ્યા કરીએ તે શું ? * સત્ય સાધ્ય ન હોઈ જીવન અધિક સુખમય, વિનિહિત અને સમાધાનકારક બનાવવાનું એક સાધન છે એમ કહેવામાં શી હરકત છે ?
કેટલાક કહે છે કે, સત્યને જ્યારે ઉપયુક્તતા પર આધાર છે ત્યારે જે જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી તેને ‘અસત્ય' કહેવામાં શું વાંધો છે? દાખલા તરીકે માનો કે રાકને ગ્રહ જ્યોતિષ શાસ્ત્રાનુસાર પૃથ્વીથી ૨૫ લાખ માઈલ દૂર છે એમ સિદ્ધ થયું છે. એ અંતરને ૨૮ લાખ કિવા ૩૭ લાખ માઈલ કહીએ તો અમને કંઈ ભારે નુકસાન થવાનું નથી. સત્ય જ્યારે કાર્યના ઉપયોગ પર અવલંબેલું હોય, ત્યારે શુક્ર ૨૭ લાખ માઇલ કિવા ૨૦૦ માઈલ દૂર છે એમ કહેવાને કંઈ હરકત નથી. ગમે તે કહે પણ તે વ્યવહાર દષ્ટિએ એક જ છે. બીજું દષ્ટાંત આપીને એ આક્ષેપનો અર્થ વિશેષ સ્પષ્ટ કરીશું. શિવાજીને જન્મ ૧૬ર૭માં થયે કહે કે ૧૬૩૦માં થયો કહો ! ગમે તે કહે પણ તેનાથી વ્યવહારમાં શું વાંધો રાવે છે ? એથી હિત કે અહિત થાય તેવું કંઈ નથી.
* “ જે જ્ઞાન સર્વમાં અધિક ઉપયોગી-સુફલદાયક-સમાધાનકારકવ્યવહાર્ય–તે સત્ય” એ વ્યાખ્યા મારા ઘરની નથી. Pragmatism કિવા સાધનવાદ' નામનું યુરોપ અને અમેરિકામાં જે નવીન કાંતિકારક દર્શન નીકળ્યું છે તેના એક અંગને આ નિબંધમાં અનુવાદ કરેલ છે. જિજ્ઞાસુ વાચકોએ અધિક માહિતી માટે વિલિયમ જેમ્સ નામના વિદ્વાન ગ્રંથકારનું પ્રેમેટીઝમ નામનું પુસ્તક વાંચી જવું. આપણા નૈયાયિક ગ્રંથોમાં પણ જે જ્ઞાન સફળ થઈ શકે તે ખરું જ્ઞાન છે, એવા પ્રકારનું વિવેચન છે.
મૃગજળ' જોઈને તેને પાણી સમજી પીવા દોડી જનાર હરણનું જ્ઞાન “સફલ” થવાનો સંભવ છેતો નથી તેથી તે આભાસાત્મક સમજવું, એવા પ્રકારનાં વચનો મળી આવે છે. હાલના (Pragmatism) પ્રેમેટીઝમ કે સાધનવાદ અને પૂર્વના નૈયાચિકેના વિચારની તુલના તજજ્ઞ માણસો કરે તો ઠીક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org